________________
९४
अनेकान्तवादप्रवेशः
तथाहि-अमृत्स्वभावेभ्य एवोदकादिभ्यो व्यावृत्तस्वभाव एवं सति कपालपदार्थः स्यात् न तु मृत्पिण्डशिवकघटादिभ्यो मृत्स्वभावेभ्योऽपि, तद्व्यावृत्तावमृत्स्वभावत्वप्रसङ्गात् यथैवामृत्स्वभावेभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावो भवति, एवं मृत्स्वभावेभ्योऽपि व्यावृत्तोऽमृत्स्वभावः स्यात्, न्यायानुगतमेतत्; अन्यथा अमृत्स्वभावव्यावृत्तावपि मृत्स्वभावानुपपत्तेः।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : અમૃતસ્વભાવીઓથી વ્યાવૃત્ત હોવાથી, કપાલ પદાર્થની મૃતસ્વભાવતા છે, પાણીની નહીં, કેમ કે પાણીની તેઓથી વ્યાવૃત્તિ નથી.
ઉત્તરપક્ષ: આ પણ અસમિક્ષિત કથન છે; કેમ કે આવું કહેવામાં વસ્તુને સજાતીયથી અવ્યાવૃત્ત અને વિજાતીયથી વ્યાવૃત્ત - એમ ઉભયસ્વભાવી માનવાની આપત્તિ આવે. તે આ પ્રમાણે – તે કપાલ પદાર્થ અમૃતસ્વભાવી ઉદકાદિથી જ વ્યાવૃત્ત સ્વભાવવાળો થાય, મૃપિંડ, શિવક-ઘટાદિ મૃત્સ્વભાવથી પણ વ્યાવૃત્ત નહીં, કેમ કે તેનાથી વ્યાવૃત્તિ થવામાં તો તેને અમૃતસ્વભાવી માનવો પડે! જે પ્રમાણે અમૃતુસ્વભાવીઓથી વ્યાવૃત્ત હોઈ ઋતુસ્વભાવી થાય, તે પ્રમાણે ઋતુસ્વભાવીઓથી વ્યાવૃત્ત હોઈ અમૃતસ્વભાવી થાય; આ વાત ન્યાયાનુસારી છે, અન્યથા અમૃતસ્વભાવીઓથી વ્યાવૃત્તિ હોવામાં પણ મૃત્સ્વભાવ ઉપપન્ન ન થાય.
વિવેચનઃ પૂર્વપક્ષ : પાણી તો અમૃતસ્વભાવી એવા ઉદકાદિ પદાર્થથી અવ્યાવૃત્ત છે, એટલે એ માટીરૂપ ન હોય એ તો સહજ છે. પણ કપાલમાટી તો અમૃસ્વભાવી ઉદકાદિથી વ્યાવૃત્ત જ છે, તો તે - ઘટમાટીથી અત્યંત ભિન્ન હોવા છતાં પણ - માટી રૂપ કેમ ન બને ?
ઉત્તરપક્ષ : તમારી વાત સમીક્ષા વિનાની છે, કારણ કે એવું માનવામાં તો કપાલાદિના બે સ્વભાવ માનવા પડે : (૧) વિજાતીયથી વ્યાવૃત્ત, અને (૨) સજાતીયથી અવ્યાવૃત્ત - અને એટલે તો વસ્તુને ઉભયસ્વભાવી માનવાની આપત્તિ આવે.
અને તેનું (=ઉભયસ્વભાવ હોવાનું) કારણ એ કે, કપાલ તે અમૃસ્વભાવી ઉદકાદિથી વ્યાવૃત્ત હોવાથી જ કપાલરૂપ બને (નહીંતર તો તે ઉદકાદિ રૂપ જ બની જાય.) અને તે કપાલ, ઉદકાદિની જેમ મૃસ્વભાવી એવા મૃપિંડ, શિવક, ઘટાદિથી પણ સર્વથા વ્યાવૃત્ત નથી; કેમ કે જો મૃપિંડાદિથી વ્યાવૃત્ત માનો, તો કપાલ અમૃતું થઈ જાય !
એટલે કપાલાદિ પદાર્થો વિજાતીયથી વ્યાવૃત્ત અને સજાતીયથી અવ્યાવૃત્ત એમ ઉભયસ્વભાવી ફલિત થાય.
(હવે ગ્રંથકારશ્રી, ઘટ-કપાલમાટીનો કથંચિત્ અભેદ સિદ્ધ કરવા એક નવો તર્ક આપે
જે રીતે કપાલાદિ, ઉદકાદિ અમૃતથી વ્યાવૃત્ત હોવાથી મૃત છે, તેમ મૃપિંડાદિ મૃતથી વ્યાવૃત્ત હોવાથી અમૃત થઈ જાય ! આ વાત ન્યાયાનુસારી જ છે, કારણ કે “જે જે સ્વભાવથી વ્યાવૃત્ત હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org