SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तवादप्रवेशः ____एतदपि मनोरथमात्रम्, विकल्पानुपपत्तेः; तद्धि यदाभीष्टसहकारिसन्निधौ कार्य जनयति, तदाऽस्यानन्तरोदितसहकार्यपेक्षालक्षणः स्वभावो व्यावर्त्तते ? न वा ? इति वक्तव्यम् । यदि व्यावर्त्तते, अनित्यत्वप्रसङ्गः; स्वभावव्यावृत्तौ स्वभाववतोऽपि तदव्यतिरेकेण तद्वदेव निवृत्तेः । अथ न व्यावर्त्तते, कार्याजननप्रसङ्गः, तत्स्वभावानिवृत्तेः, पूर्ववत्; तथाहि-य एव तस्य कार्याजननावस्थायां स्वभावः, जननावस्थायामपि स एव, इति कथं जनयति ? सर्वदा वा जननप्रसङ्गः; इत्येवं तावदेकान्तनित्यपक्षे विज्ञानादिकार्यायोगात् તવામાં માવ, રૂતિ | - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? હવે કહો કે – એવો જ તે વસ્તુનો સ્વભાવ છે કે જેથી વિશેષ ન કરનાર પણ પ્રતિનિયત જ સહકારીને અપેક્ષીને કાર્ય ઉત્પન્ન કરે છે તો તે પણ મનોરથમાત્ર છે, કારણ કે વિકલ્પોની અનુપપત્તિ છે. જ્યારે તે અભીષ્ટ સહકારીના સામીપ્યમાં કાર્ય ઉત્પન કરે, ત્યારે તેનો પૂર્વોક્ત “સહકારની અપેક્ષા રાખવારૂપે સ્વભાવ નિવર્તે છે કે નહીં? એ કહો. જો નિવર્તે, તો તે અનિત્ય બનવાનો પ્રસંગ આવે; કેમ કે સ્વભાવની નિવૃત્તિમાં તદભિન્ન હોવાથી સ્વભાવની જેમ સ્વભાવવાનુની પણ નિવૃત્તિ થાય છે. જો નનિવર્તે, તો કાર્ય ઉત્પન્ન નહીં થાય; કેમ કે પૂર્વની જેમ તેનો સ્વભાવ નિવૃત્ત થયો નથી. તે આમ - જે સ્વભાવ તેનો કાર્ય-અજનન અવસ્થામાં હતો, તે જ સ્વભાવ કાર્યજનન-અવસ્થામાં પણ છે, તો તે કેવી રીતે ઉત્પન્ન કરે ? અથવા તો સર્વદા ઉત્પન્ન કરવાનો પ્રસંગ આવે. એટલે આમ એકાંત નિત્યપક્ષમાં તો વિજ્ઞાનાદિ કાર્ય ન ઘટવાથી વસ્તુનું જ્ઞાન ન જ થઈ શકે. વિવેચન : પૂર્વપક્ષ : વસ્તુનો તેવો સ્વભાવ જ છે કે, વિશેષ ન કરનાર હોવા છતાં પણ પ્રતિનિયત આલોકાદિ સહકારની અપેક્ષા રાખીને જ, જ્ઞાનાદિ કાર્યને ઉત્પન્ન કરે છે. (એટલે કોઈ અસમંજસતા નથી.) ઉત્તરપક્ષઃ આ વાત પણ મનોરથ પૂરતી છે, કારણ કે અહીં પણ વિકલ્પોની વણઝાર ઉપપન્ન થતી નથી. તે આ પ્રમાણે – જયારે આલોકાદિ અભિપ્રેત સહકારીનું સંનિધાન થાય અને વસ્તુ કાર્ય ઉત્પન્ન કરે, ત્યારે પૂર્વોક્ત “સહકારીની અપેક્ષા રાખવા” રૂપ સ્વભાવની નિવૃત્તિ (૧) થાય, કે (૨) નહીં ? (૧) જો થાય, તો વસ્તુની પણ નિવૃત્તિ થઈ માનવી પડે, કારણ કે સ્વભાવની નિવૃત્તિ થવાથી સ્વભાવની જેમ તેનાથી અભિન્ન સ્વભાવવાળી વસ્તુની પણ નિવૃત્તિ થાય જ. અને તો વસ્તુ અનિત્ય બનવાની આપત્તિ આવે ! (૨) જો તેવા સ્વભાવની નિવૃત્તિ ન થાય, તો પહેલાની જેમ, કાર્યોત્પત્તિ વખતે પણ ‘સહકારીની અપેક્ષા રાખવારૂપ’ સ્વભાવ નિવૃત્ત ન થયો અને તો ત્યારે પણ સહકારની અપેક્ષા ઊભી જ રહે અને તેથી કાર્ય ઉત્પન્ન જ નહીં થાય. તે આ રીતે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy