SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः લઈશું. ભાવ એ કે, (૧) મૃસ્વભાવ જેનું કારણ છે, તેવા મૃતપિંડ-ઘટાદિ તત્કા૨ણ કહેવાય અને જળાદિ અતત્કારણ કહેવાય. (કારણ કે મૃત્સ્વભાવ તેનું કારણ નથી) તો આવા અતત્કારણરૂપ જળાદિથી જેની વ્યાવૃત્તિ હોય, તે મૃતપિંડ-ઘટાદિ સાધારણ કહેવાય... તે જ રીતે (૨) મૃત્સ્વભાવનું જે કાર્ય છે, તે ઘટાદિ તત્કાર્ય કહેવાય અને જળાદિ અતત્કાર્ય કહેવાય (કેમ કે તેઓ મૃત્સ્વભાવનું કાર્ય નથી.) તો આવા અતત્કાર્યરૂપ જળાદિથી જેની વ્યાવૃત્તિ હોય, તે મૃત્યુપિંડ-ઘટાદિ સાધારણ કહેવાય. o આમ અતત્કારણથી અને અતત્કાર્યથી વ્યાવૃત્તિરૂપે ઘટાદિ સાધારણ છે અને તેઓમાં મૃત્સ્વભાવ એ જ સાધારણ તત્ત્વ છે... તો હેતુ-ફળનું આવા કૃત્સ્વભાવના સંબંધી તરીકે હોવું તે જ વિશિષ્ટ હેતુ-ફળભાવ છે. १७५ સ્યાદ્વાદી ઃ તમારી આ વાત પણ માત્ર બોલવા પૂરતી છે, કારણ કે અતત્કા૨ણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિરૂપે પણ મૃતપિંડ-ઘટાદિ સાધારણ બને નહીં. તેનું કારણ એ કે, તમારા મતે ઘટાદિ તમામ પદાર્થો, સજાતીય-વિજાતીય બધા પદાર્થોથી સમાનપણે વ્યાવૃત્ત છે. (અર્થાત્ ઘટ જેમ જળથી વ્યાવૃત્ત છે, તેમ મૃતપિંડાદિથી પણ સમાનપણે વ્યાવૃત્ત છે.) એટલે ઘટ, મૃપિંડાદિને સાધારણ ન હોઈ શકે. પ્રશ્ન : (વિશેષામ્યુપામે હૈં) ઘટ જે રીતે જળથી વ્યાવૃત્ત છે, તે જ રીતે મૃતપિંડાદિથી વ્યાવૃત્ત નથી, પણ તેનાથી જુદી રીતે વ્યાવૃત્ત છે. (અર્થાત્ મૃપિંડથી વ્યાવૃત્ત ખરો, પણ જળની જેમ વ્યાવૃત્ત નહીં.) એટલે તે, મૃતપિંડને સાધારણ તો હોઈ જ શકે છે. ઉત્તર : આવું કહેવામાં અર્થતઃ તો ‘સમાનપરિણામ’ જ સ્વીકૃત થાય છે, કારણ કે ઉપરોક્ત કથનનો મતલબ એ થયો કે, ઘટ, મૃતપિંડથી સર્વથા વ્યાવૃત્ત નથી, પરંતુ કથંચિત્ સમાનપરિણામી પણ છે. (અને આવો સમાનપરિણામ માનવામાં તો અભ્યપગમવિરોધ થાય.) એટલે સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું પણ અયુક્ત જણાઈ આવે છે. X * अथैकार्थक्रियाहेतुत्वम्, तदप्यसङ्गतम्, तस्यासिद्धत्वात्; नहि हेतुफलयोरेकार्थक्रियाहेतुत्वमस्ति यौगपद्याभावात् हेतुफलभावानुपपत्तेः फलस्यैवार्थक्रियारूपत्वाद्, यथोक्तम्‘ભૂતિયેષાં વિા સેવ’ જ્ઞાતિ । For Personal & Private Use Only -• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે એક અર્થક્રિયાના કારણરૂપે હોવું કહો, તો તે પણ અસંગત છે, કારણ કે તેવું અસિદ્ધ છે. જુઓ-હેતુ-ફળનું એક અર્થક્રિયાનું કારણપણું નથી, કારણ કે તે બેનું યૌગપદ્ય નથી અને (યૌગપઘ માનવામાં) હેતુ-ફળભાવ જ ઉ૫પન્ન ન થાય... વળી, ફળ જ અર્થક્રિયારૂપ છે. કહ્યું છે કે - જેઓની ઉત્પત્તિ તે જ અર્થક્રિયા છે...’ Jain Education International www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy