SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १७० अनेकान्तवादप्रवेशः લઈને યાવત્ ત્યાં સુધી કે – વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં આત્માદિ વસ્તુઓ બિલકુલ સંગત ન થાય” – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે વાસ્તવમાં તો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવાના પક્ષમાં જ મોક્ષ ઘટે છે. તે આ પ્રમાણે – નૈરામ્યવાદી ( કોઈપણ વસ્તુ સાત્મક નથી એવું કહેનારા) બૌદ્ધના મતે, દરેક પદાર્થો ક્ષણિક છે. હવે આ ક્ષણિક પદાર્થો (=વિજ્ઞાનસંતાન*) ક્ષણિકતાના કારણે જ, જે પ્રમાણે પોતાના હેતુનું સંનિધાન થાય, તે પ્રમાણે તેઓ વિક્રિયાને પ્રાપ્ત કરે છે. (અર્થાત્ ક્ષણે ક્ષણે તે વિજ્ઞાનસંતાન, પોતાના હેતુના સંનિધાન પ્રમાણે વિકારને પામે છે.) જુઓ – તે ક્ષણિક પદાર્થો ( વિજ્ઞાનસંતાન) સમુપરોધના કારણભૂત જવર-જરા વગેરેના કારણે વિકારને પામે અને તેથી તેઓ દુઃખવિશેષથી વાસિત ઉત્તરોત્તર ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા પીડાને અનુભવે છે... ત્યારબાદ તેઓ નિર્વેદ પામીને ઉક્તક્ષણ પછીની ઉત્તરોત્તર ક્ષણોને નિર્વેદમય ઉત્પન્ન કરતા હોવાથી નિર્વિણ થઈ જાય છે, અર્થાત્ સંસારથી વિરક્ત થઈ જાય છે... ત્યારપછી ઉત્તરોત્તર શ્રુતભાવના વગેરેના આધારે અક્લિષ્ટ (=શુદ્ધ) અનેક ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા, દાન-દમ-સંયમ આદિ અનેક પ્રકારના શુભધર્મોથી વાસિત થઈને, રાગ-દ્વેષાદિના બીજને જડમૂળથી ઉખેડી નાખવા સમર્થ એવી માર્ગભાવનાના (કનૈરાભ્યભાવનાના) આધારે પ્રતિસમય વિશુદ્ધ થતા, છેલ્લે અત્યંત વિશુદ્ધ એવી પર્યત ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા તેઓ “વિમુક્ત થયા કહેવાય છે. આમ, ઉત્તરોત્તર ક્ષણપરંપરાની અપેક્ષાએ ક્ષણિકમતમાં જ મોક્ષ સંગત થાય છે. (અન્યથા=) જો આત્માને નિરન્વય નશ્વર ન માનો, અને અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી માનો, તો આત્મામાં જવરાદિ સમુપરોધના હેતુઓથી કોઈ વેદના જ નહીં થાય... (માવેT) કદાચ વેદના થાય, તો પણ તે એકાંત એકસ્વભાવી હોવાથી, તેમાં કોઈ વિકાર નહીં થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાઓથી (=રાગાદિના પ્રતિપક્ષભૂત વિરાગભાવનાઓથી) તેમાં કોઈ અતિશયવિશેષનું આધાન પણ નહીં થાય અને તો આવા આત્માની મુક્તિ પણ ન સંભવે, કારણ કે આત્મા સદા એકસ્વભાવી હોવાથી તેમાં ફેરફાર ન થાય. એટલે ખરેખર તો અક્ષણિક-નિત્યમતમાં જ મોક્ષની અસંગતિ છે. સાર ઃ આમ વિશિષ્ટ કાર્ય-કારણભાવને આશ્રયીને, ક્ષણિકમતે સ્મરણાદિ ઐહિક વ્યવહાર અને કર્મફળસંબંધાદિ પારલૌકિક વ્યવહાર એ બધું નિબંધ હોઈ, અમારો મત નિર્દષ્ટ જણાઈ આવે છે. (આ પ્રમાણે બૌદ્ધનો પૂર્વપક્ષ થયો. હવે ગ્રંથકારશ્રી ઉત્તરપક્ષ કહેશે. તેમાં બૌદ્ધમંતવ્યનું વિકલ્પશ: અનેક યુક્તિઓથી નિરાકરણ કરાશે.) * અહીં ક્ષણિકપદાર્થ તરીકે ક્ષણવ્યક્તિ નથી લેવાની, પણ ક્ષણપરંપરા લેવાની છે અને તો જ તેમાં ઉપરોધના કારણ એવા દંડાદિથી જ્યારે પીડાય છે... નિર્વેદ પામે છે... ભાવના શોભે છે...' એવાં જુદાં જુદાં વિશેષણો ઘટી શકે. નહીંતર ક્ષણવ્યક્તિ લેવામાં તો, તેવા જુદાં જુદાં વિશેષણો સંગત થાય નહીં... (એટલે ક્ષણિકપદાર્થ=વિજ્ઞાનસંતાન=જ્ઞાનપરંપરા...) — — — – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy