SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः १६९ અર્પણ કરે છે જ. તેમ કર્મ અંગે પણ સમજવું.) આવું લોકમાં પણ સ્પષ્ટપણે દેખાતું હોવાથી, તે જૈનો ! તમે તમારા અભિનિવેશનનું વ્યસન બાજુ પર મૂકી દો ! (ક્ષણિકમતે પણ કર્મફળસંબંધ-આદિ બધું ઘટે જ છે.) ___यच्चोक्तम्-'मुक्तिरपि प्राणिनामसङ्गता' इत्यादि-'यावदयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो न घटामुपैति ?' इति । ____ तदप्ययुक्तम्, प्रतिक्षणनिरन्वयनश्वरात्मपक्ष एव युज्यमानत्वात्, तथाहि-नैरात्म्यवादिनः क्षणिकाः पदार्थाः, यथाहेतुसन्निधानं विक्रियामात्मसात्कुर्वाणाः समुपरोधहेतुभिर्यदा पीड्यन्ते दुःखविशेषाध्यासितोत्तरोत्तरक्षणोत्पत्तितः, ततस्ते निर्विद्यन्ते, निर्विद्योत्तरोत्तरक्षणसमुत्पादानिर्बिण्णास्तदुत्तरोत्तरश्रुतभावनादिना अक्लिष्टानेकक्षणपरम्परोत्पादनेन दानदमसंयमाद्यनेकप्रकारशुभधर्माध्यासाद्, रागादिबीजोन्मूलनसमर्थमार्गभावनातः प्रतिकलमवदायमानविशुद्धिपर्यन्तवतिक्षणोत्पादाधिगतविमुक्तयः कथ्यन्ते, इत्यनवद्यम्; अन्यथा आत्मनो व्यवस्थितत्वाद्वेदनाभावेऽपि विकारान्तरभावात्, प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयैत्वाच्च મુવ7મ:, રૂતિ | કર ‘પક્ષમાણે.' કૃતિ પૂર્વમુદ્રિતપાઈ, સત્ર C-પ્રતિપાઠઃ | » ‘શયસમવાઘ' રિ પૂર્વમુદ્રિતા, સત્ર -પ્રતિપાd: I – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ઃ અને તમે જે કહ્યું હતું કે “મુક્તિ પણ પ્રાણીઓને અસંગત થાય... ત્યાંથી લઈને યાવત્ ત્યાં સુધીનું કે – આત્માદિ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં તેમનું અસ્તિત્વ ઘટતું નથી' - તે બધું પણ અયુક્ત છે; કેમ કે પ્રતિક્ષણ નિરન્વય-નશ્વર આત્મપક્ષે જ તે બધું ઘટે છે. તે આમ – નૈરાગ્યવાદીમતે ક્ષણિક પદાર્થો, પોતાના હેતુના સંનિધાન પ્રમાણે સમુહરોધના હેતુઓ વડે વિકારને પ્રાપ્ત કરતા જ્યારે તેઓ દુઃખવિશેષથી અધ્યાસિત ઉત્તરોત્તર ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા પીડા પામે છે, ત્યારપછી તેઓ નિર્વેદ પામે છે અને નિર્વેદ પામીને ઉત્તરોત્તર ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા નિર્વિણ થઈ ગયેલા તેઓ, શ્રુતભાવનાદિ દ્વારા અક્લિષ્ટ અનેક ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા દાન, દમ, સંયમ આદિ અનેક પ્રકારના શુભ ધર્મના અધ્યાસથી રાગાદિ બીજને ઉખેડવામાં સમર્થ એવી માર્ગભાવનાથી પ્રતિપળ વિશુદ્ધ થતા વિશુદ્ધિના પર્યતવર્તી ક્ષણના ઉત્પાદથી મેળવાયેલી મુક્તિવાળા તેઓ કહેવાય છે, એમ કોઈ દોષ રહેતો નથી, અન્યથા આત્મા તો તદવસ્થ હોવાથી વેદના થવામાં પણ બીજો કોઈ વિકાર ન થવાથી અને પ્રતિપક્ષના અભ્યાસથી પણ અતિશયનું આધાન અસંભવિત રહેવાથી મુક્તિનો સંભવ નથી. # મોક્ષ-અસંગતિનું નિવારણ શું | વિવેચનઃ ઓ સ્યાદ્વાદી ! તમે જે કહ્યું હતું કે –“પ્રાણીઓને મુક્તિ પણ અસંગત છે.. ત્યારથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy