________________
गुर्जरविवेचनसमन्वितः
१७१
एतदपि तत्त्वापरिज्ञानविजृम्भितमेव, भवत्पक्षेऽपि विशिष्टहेतुफलभावानुपपत्तेः; तथाहि-किं वैशिष्ट्यं नाम ? किं हेतुफलयोरैक्यम् ? तयोरेवैककालता ? अथ कारणधर्म-सङ्क्रान्तिः ? उत साधारणवस्तुसम्बन्धित्वम् ? किं वैकार्थक्रियाहेतुत्वम् ? किं वा विशिष्टकारणजन्म ? किं वा तदनन्तरभावित्वम् ? किं वा विशिष्टक्रियाहेतुत्वम् ? વિશ્વતિઃ ?
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ આ પણ તત્ત્વ-અપરિજ્ઞાનથી જ વિસ્તૃત છે; કેમ કે તમારા પક્ષે પણ વિશિષ્ટ હેતુ-ફળભાવ અનુપાન છે. તે આમ વિશિષ્ટતા એટલે શું? (૧) શું હેતુ-ફળની એકતા? (૨) તે બેનું જ એક કાળપણું? (૩) કારણધર્મની સંક્રાંતિ? (૪) સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું? (૫) એક અર્થક્રિયાહેતુત્વ? (૬) વિશિષ્ટકારણજન્મ? (૭) કારણાનંતરભાવિપણું? કે (૮) વિશિષ્ટ ક્રિયાહેતુપણું?... એથી શું? તે જુઓ –
બોદ્ધમંતવ્યનું વિકલાશઃ નિરાકરણ છે વિવેચનઃ ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી :) તમારું આ કથન પણ તત્ત્વને સમજયા વિનાનો જ વિસ્તાર છે, કારણ કે તમે ઉપર હેતુ-ફળભાવને લઈને બધી વ્યવસ્થાઓ કરી, પણ હકીકતમાં તમારા (પ્રતિક્ષણ નિરન્વય નશ્વરવાદી) મતે વિશિષ્ટ હેતુ-ફળભાવ જ ઉપપન્ન થતો નથી. તે આ પ્રમાણે–
વિશિષ્ટ હેતુ-ફળભાવ તમે કહો છો, પણ તેમાં વિશિષ્ટતા એ શું છે? (૧) હેતુ-ફળનું એક થવું છે ? (૨) હેતુ-ફળ બંનેનો એક કાળ હોવો તે? (૩) કારણના ધર્મનું કાર્યમાં સંક્રમણ થવું તે ? (૪) સાધારણ વસ્તુ સાથે સંબંધીપણું હોવું તે? (૫) એક જ અર્થક્રિયાના કારણરૂપે હોવું તે? (૬) વિશિષ્ટ કારણથી ઉત્પન્ન થવું તે? (૭) કારણની અનંતર કાર્યનું થવાપણું તે? (૮) વિશિષ્ટ ક્રિયાના હેતુરૂપે હોવું તે? આ આઠ વિકલ્પો છે. બૌદ્ધ : આ આઠ વિકલ્પોથી શું થાય ? જૈનઃ થાય એ જ કે, તમારા મતે કાર્ય-કારણભાવ અસંગત ઠરી આવે. તે આ પ્રમાણે –
यदि हेतुफलयोरैक्यम्, तर्हि हेतुफलभावानुपपत्तिरेव, सर्वथैकत्वान्मृत्पिण्डतन्त्वादीनामपि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org