SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ अनेकान्तवादप्रवेशः घटपटाद्यभेदतो जलाद्यानयनादिकार्यप्रसाधकत्वप्रसङ्गात्, घटादीनामपि वाऽप्रसङ्गात् । * ...કૃતિપveત્વાકીના.તિ પૂર્વમુદ્રિતપd., મત્ર B-પાઃ | – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: (૧) જો હેતુ-ફળનું એકપણું કહો, તો હેતુ-ફળભાવ અનુપપન્ન જ રહે, કારણ કે સર્વથા તેઓનું એકપણું છે અને તેવું હોવામાં મૃતપિંડ-તંતુ આદિનો પણ ઘટ-પટાદિની સાથે અભેદ થવાથી, તેઓ પણ જળ લાવવાદિરૂપ કાર્યના પ્રસાધક થશે અથવા તો ઘટાદિ પણ કાર્યના પ્રસાધક નહીં બને. # પ્રથમ વિકલ્પની અસંગતિ છે વિવેચનઃ (૧) જો હેતુ-ફળ બંનેને એક હોવાનું કહો, તો તો હેતુ-ફળભાવ જ ઉપપન્ન થાય નહીં, કારણ કે સર્વથા એક હોવાથી “હેતુ’ ‘ફળ' એવા બે જુદા તત્ત્વો જ રહે નહીં. અને જો હેતુ-ફળ એક હોય, તો માટી પણ ઘટરૂપ બને અને તંતુ પણ પટરૂપ બને ! એટલે તો જેમ ઘટ જલાનયનરૂપ કાર્ય કરે છે, તેમ ઘટરૂપ માટી પણ જલાનયનરૂપ કાર્ય કરવા લાગે ! (પણ માટીથી પાણી લવાતું હોય તેવું તો કદી દેખાતું નથી.) તે જ રીતે પટની જેમ તંતુથી પણ શીતત્રાણ થવા લાગશે ! (પણ તાંતણાથી ઠંડી રોકાતી હોય એવું કદી દેખાતું નથી...) અથવા તો, ઘટ માટીરૂપ અને પટ તંતુરૂપ બની જતાં, માટીની જેમ ઘટથી પણ જલાનયનાદિ કાર્ય નહીં થાય ! અને તંતુની જેમ પટથી પણ શીતત્રાણાદિ કાર્ય નહીં થાય ! આમ બે પ્રસંગ આવેઃ (૧) માટીથી પણ જલાનયન થવાનો પ્રસંગ, અથવા (૨) ઘટથી પણ જલાનયન ન થવાનો પ્રસંગ. એટલે હેતુ-ફળને એક માની લેવાની બાલિશ ચેષ્ટા બિલકુલ સમંજસ નથી. ___ अथ तयोरेककालता तत्र वक्तव्यम्, किं सर्वात्मना ? उत कथञ्चित् ? यदि सर्वात्मना, ततोऽसम्भव एव, कार्याभावात् नहि सर्वात्मना कारणतादवस्थ्ये कार्यजन्म युज्यते, इति प्रतीतम् । अथ कथञ्चिद्, एवं तस्मिन्मतानुवाद एव, केनचिदात्मना कार्यकारणयोरेकत्वाभ्युपगमात् । – પ્રવેશરશ્મિ – | ભાવાર્થ (૨) હવે તે બેની એકકાળતા કહો, તો ત્યાં પણ કહો કે સંપૂર્ણપણે કે કથંચિ? જો સંપૂર્ણપણે, તો એકકાળતા જ ન સંભવે; કેમ કે કાર્યનો જ અભાવ થાય છે. અને એ વાત પ્રતીત છે કે, સંપૂર્ણપણે કારણ તદવસ્થ હોવામાં કાર્યનો જન્મ થઈ શકે નહીં. હવે કથંચિ કહો, તો અમારા મતનો જ અનુવાદ થાય; કેમ કે કોઈક અપેક્ષાએ તો કાર્ય-કારણનું એકપણું અમે માનીએ છીએ જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy