________________
१७२
अनेकान्तवादप्रवेशः
घटपटाद्यभेदतो जलाद्यानयनादिकार्यप्रसाधकत्वप्रसङ्गात्, घटादीनामपि वाऽप्रसङ्गात् । * ...કૃતિપveત્વાકીના.તિ પૂર્વમુદ્રિતપd., મત્ર B-પાઃ |
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: (૧) જો હેતુ-ફળનું એકપણું કહો, તો હેતુ-ફળભાવ અનુપપન્ન જ રહે, કારણ કે સર્વથા તેઓનું એકપણું છે અને તેવું હોવામાં મૃતપિંડ-તંતુ આદિનો પણ ઘટ-પટાદિની સાથે અભેદ થવાથી, તેઓ પણ જળ લાવવાદિરૂપ કાર્યના પ્રસાધક થશે અથવા તો ઘટાદિ પણ કાર્યના પ્રસાધક નહીં બને.
# પ્રથમ વિકલ્પની અસંગતિ છે વિવેચનઃ (૧) જો હેતુ-ફળ બંનેને એક હોવાનું કહો, તો તો હેતુ-ફળભાવ જ ઉપપન્ન થાય નહીં, કારણ કે સર્વથા એક હોવાથી “હેતુ’ ‘ફળ' એવા બે જુદા તત્ત્વો જ રહે નહીં.
અને જો હેતુ-ફળ એક હોય, તો માટી પણ ઘટરૂપ બને અને તંતુ પણ પટરૂપ બને ! એટલે તો જેમ ઘટ જલાનયનરૂપ કાર્ય કરે છે, તેમ ઘટરૂપ માટી પણ જલાનયનરૂપ કાર્ય કરવા લાગે ! (પણ માટીથી પાણી લવાતું હોય તેવું તો કદી દેખાતું નથી.)
તે જ રીતે પટની જેમ તંતુથી પણ શીતત્રાણ થવા લાગશે ! (પણ તાંતણાથી ઠંડી રોકાતી હોય એવું કદી દેખાતું નથી...)
અથવા તો, ઘટ માટીરૂપ અને પટ તંતુરૂપ બની જતાં, માટીની જેમ ઘટથી પણ જલાનયનાદિ કાર્ય નહીં થાય ! અને તંતુની જેમ પટથી પણ શીતત્રાણાદિ કાર્ય નહીં થાય !
આમ બે પ્રસંગ આવેઃ (૧) માટીથી પણ જલાનયન થવાનો પ્રસંગ, અથવા (૨) ઘટથી પણ જલાનયન ન થવાનો પ્રસંગ.
એટલે હેતુ-ફળને એક માની લેવાની બાલિશ ચેષ્ટા બિલકુલ સમંજસ નથી.
___ अथ तयोरेककालता तत्र वक्तव्यम्, किं सर्वात्मना ? उत कथञ्चित् ? यदि सर्वात्मना, ततोऽसम्भव एव, कार्याभावात् नहि सर्वात्मना कारणतादवस्थ्ये कार्यजन्म युज्यते, इति प्रतीतम् । अथ कथञ्चिद्, एवं तस्मिन्मतानुवाद एव, केनचिदात्मना कार्यकारणयोरेकत्वाभ्युपगमात् ।
– પ્રવેશરશ્મિ – | ભાવાર્થ (૨) હવે તે બેની એકકાળતા કહો, તો ત્યાં પણ કહો કે સંપૂર્ણપણે કે કથંચિ? જો સંપૂર્ણપણે, તો એકકાળતા જ ન સંભવે; કેમ કે કાર્યનો જ અભાવ થાય છે. અને એ વાત પ્રતીત છે કે, સંપૂર્ણપણે કારણ તદવસ્થ હોવામાં કાર્યનો જન્મ થઈ શકે નહીં. હવે કથંચિ કહો, તો અમારા મતનો જ અનુવાદ થાય; કેમ કે કોઈક અપેક્ષાએ તો કાર્ય-કારણનું એકપણું અમે માનીએ છીએ જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org