SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः પ્રસંગ આવે. આ રીતે પણ વસ્તુની ક્ષણિકતા સિદ્ધ ન થાય. न च 'निरंशतत्स्वभावेभ्यो हेतुभ्यस्तत्स्वभावमेवोत्पद्यते', इत्युच्यमानं विद्वज्जनसमवाये राजते, युक्तिवैकल्यात्, उभयत्र कारणे कार्ये च स्वभावान्तरकल्पनाया अपि शक्यत्वात् । - પ્રવેશરશ્મિ – - ભાવાર્થ : વળી ‘નિરંશ એવા તાદેશ સ્વભાવી હેતુથી તેવા સ્વભાવવાળું જ કાર્ય ઉત્પન્ન થાય એવું વિદ્વાન લોકોના સમુદાયમાં કહેવું શોભતું નથી, કારણ કે તેમાં યુક્તિવિકલતા છે અને કાર્ય-કારણ બને ઠેકાણે બીજા સ્વભાવની કલ્પના પણ શક્ય જ છે. & યુક્તિવિકલ સ્વભાવશરણનો નિરાસ . વિવેચનઃ બૌદ્ધઃ નિરંશ અને તાદશ-કાર્યજનનસ્વભાવી કારણથી, “પ્રથમક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ એવા સ્વભાવવાળું જ કાર્ય ઉત્પન્ન થાય છે. (એટલે વસ્તુની ક્ષણસ્થિતિધર્મકતા સંગત જ છે.) સ્યાદ્વાદી: પણ આવું વિદ્વાન જનોના સમુદાયમાં કહેવું શોભે નહીં, કેમ કે “કારણનો તેવો જ સ્વભાવ અને તેનાથી કાર્ય તેવા જ સ્વભાવે ઉત્પન્ન થાય' એ વાતને સિદ્ધ કરવા તમારી પાસે કોઈ યુક્તિ નથી. અને યુક્તિ વિના પણ જો કાર્ય-કારણનો તેવો સ્વભાવ કલ્પી શકાતો હોય, તો તેની જેમ બીજા સ્વભાવો કલ્પવામાં પણ કોઈ વિરોધ નહીં રહે ! (અર્થાત્, યુક્તિવિકલ કલ્પના તો આવી પણ થઈ શકે છે, કારણ નિત્યસ્વભાવી છે અને તેનાથી અનેકક્ષણ સ્થિતિસ્વભાવી વસ્તુ જ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ...) स्यादेतत्, अशक्या स्वभावान्तरकल्पना, अर्थक्रियाऽभावप्रसङ्गात्, इति। एतदप्यभद्रकम्, क्षणस्थितिधर्मक एव वस्तुतस्तदभावप्रसङ्गात्; तथाहि-यथोक्तस्वभावं वस्त्वेवार्थक्रिया, यथोक्तम्-'भूतिर्येषां क्रिया सैव' इत्यादि-तच्च न घटामटति, इति निदर्शितमेतत्, अलं विस्तरेणेति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો એવું કહો કે - “બીજા સ્વભાવની કલ્પના શક્ય નથી, કારણ કે તેમાં અર્થક્રિયાનો અભાવ છે' - તો એ પણ અભદ્રક છે; કેમ કે પરમાર્થથી ક્ષણસ્થિતિધર્મક વસ્તુમાં જ અર્થક્રિયાનો અભાવ થાય છે. તે આમ - યથોક્ત સ્વભાવી વસ્તુ જ અર્થક્રિયા છે, કહ્યું છે કે, જેઓની ઉત્પત્તિ તે જ અર્થક્રિયા છે' ઇત્યાદિ. પણ તે વસ્તુ જ ઘટતી નથી. એ બધું અમે બતાવી દીધું. એટલે હવે વિસ્તારથી સર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy