SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जर विवेचनसमन्वितः (૨) હવે જો એ સામાન્ય લક્ષણરૂપ હોય, તો હકીકતમાં બૌદ્ધમતે તેનું અસ્તિત્વ જ નથી, કારણ કે કોઈપણ વસ્તુ સામાન્યલક્ષણરૂપ હોતી જ નથી એવું બૌદ્ધો કહે છે. * તો સામાન્યલક્ષણરૂપ તેવા અસત્ સંસ્કારથી શી રીતે કલ્પનાજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે ? એટલે આમ એકે વિકલ્પ પ્રમાણે કલ્પનાનો હેતુ સંગત થતો નથી અને તો એકાંત પર્યાયનયમતે કલ્પનાનું અસ્તિત્વ અસંગત જ રહે. * ५१ स्यादेतद्-नहि कल्पनाऽस्वलक्षणमेव, तस्या अपि स्वसंवित्तौ स्वलक्षणत्वात्; उक्तं ચ-‘લ્પનાવિ સ્વસંવિત્તાવિષ્ટા, નાર્થે, વિત્ત્વનાત્' તિા एतदप्ययुक्तम्, अर्थविकल्पनाऽऽकारव्यतिरेकेण तत्स्वसंवित्त्वसिद्धेः; सिद्धौ वा, कल्पनाऽयोगात् । - પ્રવેશરશ્મિ નુ ભાવાર્થ : પૂર્વપક્ષ : કલ્પના અસ્વલક્ષણરૂપ જ નથી, કારણ કે તે પણ સ્વસંવિત્તિમાં તો સ્વલક્ષણરૂપ છે અને કહ્યું છે કે, - ‘કલ્પના પણ સ્વસંવિત્તિમાં ઇષ્ટ છે. હા, અર્થમાં નહીં, કારણ કે તે વિકલ્પરૂપ છે.’ ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે, કારણ કે અર્થવિકલ્પાકાર વિના તેની સ્વસંવિત્તિ સિદ્ધ થાય નહીં અથવા જો સિદ્ધ થાય તો તે કલ્પના જ ન રહે. * વિવેચનઃ પૂર્વપક્ષ ઃ (બૌદ્ધમતે દરેક વસ્તુઓ સ્વલક્ષણરૂપ છે, એટલે કલ્પનાનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેને પણ સ્વલક્ષણરૂપ માનવી પડે... પણ એ સ્વલક્ષણરૂપ કેવી રીતે ? એ જણાવવા બૌદ્ધ પોતાનું મંતવ્ય રજૂ કરે છે –) કલ્પના માત્ર અસ્વલક્ષણરૂપ (સામાન્યાકારલક્ષણરૂપ) જ નથી, કારણ કે તે પણ સ્વસંવેદન અંશમાં તો (અભ્રાન્તરૂપ હોઈ) સ્વલક્ષણરૂપ જ છે... આ વિશે કહ્યું છે કે - ‘કલ્પના પણ સ્વસંવિત્તિમાં ઇષ્ટ છે, અર્થ વિશે નહીં, કારણ કે અર્થ વિશે વિકલ્પરૂપ હોઈ ભ્રાન્ત છે. (જ્યારે સ્વસંવેદન અંશમાં દરેક જ્ઞાનો અભ્રાન્ત હોય છે.)’ ઉત્તરપક્ષ ઃ તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે અર્થના વિકલ્પાકાર વિના તેની સ્વસંવિત્તિ સિદ્ધ થઈ શકે નહીં. (આશય એ કે, અર્થને જાણવું ‘આ ઘટ છે - આ પટ છે' એ પ્રમાણે જાણવું; એ જ જ્ઞાનનું પોતાનું સ્વરૂપ છે. હવે જો જ્ઞાનમાં અર્થનો વિકલ્પાકાર ન આવે, તો તે જ્ઞાન દ્વારા અર્થને જાણવારૂપ સ્વસ્વરૂપનું સંવેદન શી રીતે થઈ શકે ? એટલે અર્થવિકલ્પાકાર વિના સ્વસંવિત્તિની સિદ્ધિ ન જ થાય.) બૌદ્ધમતે નિરંશ સ્વલક્ષણરૂપ જ વસ્તુ છે. પ્રશ્ન : તે જ્ઞાનમાં અર્થવિકલ્પાકાર માની લઈએ તો ? ઉત્તર ઃ તો તે કલ્પનાજ્ઞાનનું અસ્તિત્વ જ ન રહે, કારણ કે તે જ્ઞાનમાં આવતો અર્થવિકલ્પાકાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy