________________
गुर्जरविवेचनसमन्वितः
मोहः, तत्पूर्वक एवात्मीयस्नेहो रागः, तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिद्वेषः, इति कृत्वा सर्वमुपपद्यते ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ વળી વસ્તુ વિરોધી ધર્મોથી વ્યાપ્ત સ્વરૂપવાળી હોવાથી, અનેકાંતવાદીમતે મુક્તિનો પણ અભાવ થશે! તે આ પ્રમાણે - આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે કથંચિત્ અનાત્મક, અનિત્ય, અશુચિ અને દુઃખરૂપ છે એમ જાણીને પરમાર્થથી તે પ્રમાણે જ ભાવના કરવાથી ખરેખર ત્યાં આસક્તિ ન રહે. ભાવનાના પ્રકર્ષવિશેષથી વૈરાગ્ય થાય અને તેનાથી મોક્ષ.... જુઓ; આત્મ-આત્મીયદર્શન જ મોહ છે, તેના પૂર્વક જ આત્મીય વિશે થનારો સ્નેહ તે રાગ છે અને રાગવિષયના પ્રતિબંધક પર અણગમો તે દ્વેષ છે... એટલે અમારા મતે બધું સંગત થઈ જાય.
(૫) એકાંતવાદમાં જ મોક્ષ છે. વિવેચનઃ વળી વસ્તુને આવા વિરોધી ધર્મોવાળી માનવાથી તો અનેકાંતમતે મોક્ષનો પણ અભાવ થશે! એકાંતવાદમાં જ મોક્ષ ઘટશે. જુઓ –
આ (સામે રહેલા) આત્મા, સ્ત્રી, ઘર, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે તમામ પદાર્થો કથંચિદ્ (સ્વભાવથી કે હેતુપરંપરાથી) અનાત્મક અનિત્ય, અશુચિ, સ્વરૂપથી દુઃખરૂપ અને દુઃખના કારણરૂપ છે.
વસ્તુઓ, (૧) અનિત્ય-અનાત્મક તો સ્વભાવથી જ છે, પણ () અશુચિ-દુઃખરૂપ સ્વભાવથી નથી, પણ પરંપરાએ એવી વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરે છે. (જેમ કે ભોજન પરંપરાએ વિષ્ટારૂપ બને – અશુચિ... અને ભવાંતરમાં દુર્ગતિ આપે ને દુઃખ...)
એટલે આમ દરેક વસ્તુઓ કથંચિત્ અનિત્યાદિ રૂપ છે, એવું જાણીને, પરમાર્થથી તેવી ભાવનાથી ભાવિત થનાર વ્યક્તિને ‘વસ્તુમાં ખરેખર આસક્તિ કરવા જેવું કશું નથી' એમ ભાવનાનો પ્રકર્ષ થતાં, વૈરાગ્ય ઉત્પન્ન થાય અને વૈરાગ્યથી મોક્ષ થાય.
પ્રશ્નઃ શું પદાર્થ વિશે, સાત્મકતા આદિનો બોધ હોવામાં મોક્ષ ન થાય ?
ઉત્તરઃ ના, ન થાય, કારણ કે (૧) “હું” અને “મારું” એવી આત્મ-આત્મીય ભાવના જ *મોહ છે, (૨) તે મોહપૂર્વક આત્મ-આત્મીય વિશે થનારો સ્નેહ તે રાગ છે, અને (૩) તે રાગના કારણે ઈષ્ટવિષયના પ્રતિબંધક પર થનારો અણગમો તે ષ છે. એટલે જો આત્મ-આત્મીયભાવના ન હોય, તો જ રાગ-દ્વેષની હાનિ થવાથી મોક્ષની સંગતિ થાય.
(અમારા મતે વસ્તુ એકાંતે નિરાત્મક મનાય છે, એટલે તે વિશે નૈરાભ્ય ભાવના પણ યથાર્થપણે સંગત થાય અને તો મોક્ષ પણ સંગત થાય.)
* ‘મતિ મત્રોષે, મોહસ્થ ગાઉન ____ अयमेव हि नज्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।' - ज्ञानसारः ४/१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org