________________
गुर्जरविवेचनसमन्वितः
भेदः, स्वभावतः पुनरभेदः; स्वभावतोऽपि हि तयोर्भेदेऽङ्गीक्रियमाणे परस्परतः प्रविभक्तरूपं पदार्थद्वयमेवाङ्गीकृतं स्यात्, न पुनरेकं द्विरूपम्। इति ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ ઃ વળી ભેદભેદને સ્વીકારનારાઓએ આ વાત તો અવશ્ય માનવી જ રહી કે અહીં ધર્મધર્મીનો ધર્મ-ધર્મરૂપે ભેદ છે, પણ સ્વભાવથી તો અભેદ જ છે. જો સ્વભાવથી પણ તે બેનો ભેદ માનો, તો તો પરસ્પર જુદા બે પદાર્થ જ માન્યા કહેવાય, એક જ પદાર્થ દ્વિરૂપ છે એવું નહીં મનાય.
છે તૃતીય વિકલ્પની વિશેષ સમીક્ષા જી વિવેચનઃ જો ધર્મ-ધર્મ વચ્ચે ભેદભેદ માનવો હોય, તો પણ આટલું તો અચૂક માનવું પડશે કે - ધર્મ-ધર્મનો ધર્મ-ધર્મિવેન ભેદ છે, અર્થાત્ ધર્મિવેન ઘટ જુદો અને ધર્મવેન તેના ધર્મો જુદા... અને સ્વભાવથી વળી તે બેનો અભેદ છે, અર્થાત્ વસ્તુન ધર્મ-ધર્મીનો અભેદ છે... જેમ આચાર્ય, આચાર્યત્વેન અને સાધુત્વેન જુદા જુદા હોવા છતાં વ્યક્તિત્વન એક છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.
જો સ્વભાવથી (=વસ્તુત્વેન) પણ તે બેનો અભેદ ન મનાય, તો બેનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થાય અને તેથી તો – ધર્મી ધર્મરૂપ ન બનતાં – એક જ વસ્તુ ઉભયરૂપ હોવાનું સંગત થાય નહીં.
એટલે ધર્મ-ધર્મિત્વેન બંનેનો ભેદ અને સ્વભાવરૂપે બંનેનો અભેદ; એટલું તો તમારે માનવું જ રહ્યું. (તો જ તમારું કથન સંગત થાય.)
પણ આવું માનવામાં શું દોષો આવે છે - તે અમે હવે બતાવીશું.
तदत्रापि निरूप्यते-न ह्यनासादितस्वभावभेदयोर्धर्मधर्मिणोधर्मधर्मितयाऽपि भेदो युज्यते । तथाहि-यदि यो धर्मस्य स्वभावः, स एव धर्मिणोऽपि, एवं सति असौ धर्मी धर्म एव स्यात्, तत्स्वभावत्वात्, धर्मस्वरूपवद्ः धर्मो वा धर्मिस्वभावाव्यतिरिच्यमानमूर्तिर्धर्मिमात्रमेव स्यादिति । ततश्चैवं धर्मधर्मिणौ स्वभावभेदानासादनेनाप्रतिलब्धभेदौ कथं भेदनिमित्तं भवतः ? इति । न च स्वभावतोऽपि तयोर्भेदाभेदकल्पना युक्ता, पूर्वोक्तदोषानतिवृत्तेः ।।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : આવું માનવામાં પણ દોષો બતાવાય છે. જુઓ; જેમણે હજી જુદા જુદા સ્વભાવ મેળવ્યા નથી તેવા ધર્મ-ધર્મીનો, ધર્મ-ધર્મિત્વેન ભેદ પણ સંગત થાય નહીં. તે આ પ્રમાણે - જે ધર્મનો સ્વભાવ હોય, તે જ ધર્મીનો પણ સ્વભાવ મનાય, તો તો ધર્મી, ધર્મના સ્વરૂપની જેમ ધર્મસ્વભાવી થઈ જતાં, ધર્મરૂપ જ બની જાય... અથવા તો ધર્મસ્વભાવથી અભિન્ન સ્વરૂપવાળો ધર્મ, ધર્મરૂપ જ બની જાય... એટલે ધર્મધર્મીનો સ્વભાવભેદ સિદ્ધ ન થવાથી, અપ્રાપ્ત ભેટવાળા એવા તે બે, ભેદનું નિમિત્ત શી રીતે બને? અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org