________________
गुर्जरविवेचनसमन्वितः
२०५
# એકાંતવાદીમતે જ મુક્તિનો અભાવ છે વિવેચનઃ અને પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “હું અને મારું - એ રૂપે થનારું વસ્તુનું દર્શન; એ જ મોહ છે... વગેરે” – અહીં તીવ્ર આસક્તિપૂર્વક “આ વસ્તુ સર્વથા સ્થિર રહેવાની છે” એવા અધ્યવસાયથી ગર્ભિત આત્મ-આત્મીયરૂપે વસ્તુનું દર્શન થાય એ જ મોહ – એવું કહો, તો તે તો ઇષ્ટ જ છે. (આવો મોહ તો અમે માનીએ છીએ જ.)
પણ એકાંત નૈરામ્યવાદી બૌદ્ધમતે આવો મોહ સંગત થતો નથી; કેમ કે તેઓ મતે વસ્તુનું દર્શન જ થઈ શકતું નથી...અને કેમ નથી થતું? એ અમે પૂર્વે જ કહી દીધું. (દષ્ટા ક્ષણિક છે... વગેરે યુક્તિઓ સમજવી.)
અને વસ્તુના દર્શન વિના તો; તે વિશે રાગ-દ્વેષ જ ન થાય... અને રાગ-દ્વેષ વિના તો કોની હાનિ ને કોનો મોક્ષ ?
હવે આ વિશે વિસ્તારથી સર્યું.
નિષ્કર્ષ એટલે હકીકતમાં એકાંતવાદીમતે જ મોક્ષની અસંગતિ છે. આ પ્રમાણે મોક્ષવાદ થયો. છે આ પ્રમાણે આ ૭૬૪ શ્લોપ્રમાણ +૧૯ અક્ષરપ્રમાણ અનેકાંતવાદપ્રવેશ નામનું
પ્રકરણ સમાપ્ત થયું ! આ કૃતિ શ્વેતાંબરાચાર્ય ૧૪૪૪ ગ્રંથરચયિતા સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજની
આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્ન-ગીતાર્થપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ.ભ. શ્રી.વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણલવ-મુ. યશરત્નવિ. દ્વારા રચાયેલું અને વિદ્વર્ય મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. દ્વારા સંશોધિત થયેલું, અનેકાંતવાદપ્રવેશ ગ્રંથ પરનું ભાવાર્થ-વિવેચનમય “પ્રવેશરશ્મિ' નામનું ગુજરાતી વિવરણ સાનંદ સંપૂર્ણ થયું.
॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥
|| તિ શમ્ II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org