________________
લેખ સંગ્રહ : ૨ :
[ 9 ] માટે શાસ્ત્રવાણી સંભળાવતા હોય, જેમને રાજા અને રંક ઉપર સમાન ભાવ હોય એટલે સહુની યેગ્યતા પ્રમાણે જે નિ:સ્પૃહપણે (પોપકાર બુદ્ધિથી) ધર્મમાર્ગ બતાવતા હોય, પરમ ગુરુ-વિતરાગ પરમાત્માના પવિત્ર વચનાનુસારે વસ્તુ તત્વને નિર્ણય કરીને જે પ્રવર્તતા હય, જેમણે પર ઉપાધિને વિવેકથી ત્યાગ કરી સકળ ઉપાધિ રહિત મોક્ષમાર્ગ જ આદર્યો હાય, એટલે જે આત્મ-સાધન કરી લેવામાં સદા ય ઉજમાળ રહેતા હોય અને જેમ સૂર્ય પિતાના કિરણ વડે કમળને વિકસ્વર કરે છે તેમ જે શાસ્ત્રવાણીના પ્રકાશવડે ભવિજનેને પ્રતિબદ્ધતા હોય, એવી રીતે જે શુદ્ધ-નિર્દોષ-મેક્ષમાર્ગનું જ પોતે અવલંબન લેવા ઉપદેશ કરતા હોય એવા ત્યાગી વૈરાગી મહાત્માઓને હે ભવ્ય ને ! તમે સુગુરુ તરીકે આદર.
જેમ ગંગા નદીના સમાગમથી ગમે તેવું અને ગમે ત્યાંથી આવી મળેલું જળ નિર્મળ અને મહિમાવાળું બને છે; પારસમણિના સંગથી જેમ લોઢું હોય તે સુવર્ણરૂપ બની જાય છે, અને મલયાચળના પવનને સ્પર્શ થવાથી અન્ય વૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે તેમ સુગુરુનાં અમૃતવચનની ઊંડી અસરથી જીવની પણ દશા સુધરી જાય છે. જીવન અનાદિ દેશે, જેવા કે–મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ પ્રમુખ સુગુરુના ઉપદેશવડે ઓળખીને દૂર કરી શકાય છે અને આપણા આત્મામાં જ ગુપ્તપણે ઢંકાઈ રહેલા રનના નિધાન જેવા નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ ઉત્તમ ગુણે સમજીને આદરી શકાય છે, એ બધો પ્રભાવ સુગુરુને જ સમજો.
જુઓ ! પ્રથમ અત્યંત નાસ્તિક મતિવાળે એવો પ્રદેશી.