________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૧ ] ક્રોધ-કષાયનું પરિણામ જોશે તો તે બહુ જ ખરાબ છે. પરશુરામે ક્રોધવડે પૃથ્વીને નક્ષત્રી કરી અને સુભૂમ ચક્રવતીએ પૃથ્વીને નબ્રાહ્મણે કરી. આવાં અતિ અનર્થકારી કાર્ય કરવાથી જીવની નરક ગતિ થાય છે. ક્રોધને એ દુઃખદાયી જાણું હે ભાઈ ! તું તેનો ત્યાગ કર અને સહુને સ્વાત્મ સમાન ગણું, મૈત્રીભાવ ધારી તેમના પ્રત્યે પ્રીતિ રાખ.
કોધરૂપ વિષવૃક્ષનાં ફૂલ, ફળ અને છાંયા વિગેરે બધાં વિષમય જ છે. કેઈનું ભૂંડું–અનિષ્ટ ચિન્તવવું એ ક્રોધ-કષાયનાં પુષ્પ સમજવા અને તક સાધી તેમનું અનિષ્ટ કરવું એ તેનાં કડવાં ફળ સમજવાં. નરકના મહાદુઃખદાયી દુઃખ વેઠવાં એ તેને રસ સમજો. ક્રોધ યુક્ત વાતાવરણમાં આવવાથી આવનારને કોધનું વિષ વ્યાપી જાય છે માટે જેમ બને તેમ કાધના પ્રત્યેક પ્રસંગથી ન્યારા જ રહેવા પ્રયત્ન કરે યુક્ત છે.
ક્ષમા-સમતા-સહનશીલતા ગુણવડે તે વિષનું નિવારણ થઈ શકે છે. ઉપશમ જળની ધારાવડે એ કોધ-અગ્નિ સહેજે ઓલવી શકાય છે. કોધી માણસને બેધ લાગતો નથી, અને તે અંધ બની, અકાર્યો આચરી નીચી ગતિમાં જાય છે. ગમે તેટલો તપ, જપ, સંજમ સેવનાર પણ ક્રોધવશ બની તેનું ફળ ક્ષણવારમાં હારી જાય છે. ઉત્તમ પુરુષને-સજજનને કોધ થતો નથી અને કોઈ તેવાં જ નિમિત્ત થાય છે તે લાંબા વખત ટકતો નથી, અર્થાત્ સાવધાનપણું રાખવાથી કેઇનું અનિષ્ટ થતું અટકે છે, તેવા સજજને સાવચેતપણું સાચવે છે જબાકી દુર્જન તો કોધવશ બની, ગમે તેવાં કટુક