________________
[ ૨૯૬ ]
શ્રી કરવિજયજી ત્રેવડ ત્રીજો ભાઈ અથવા ખરી કરકસર. ૧. કરકસર એ પ્રમાણિકતા, સ્વતંત્રતા અને સુખની માતા છે, તેમ જ મિતાહાર, આનંદ તે આરોગ્યની સુંદર બહેન છે.
૨. થોડી જરૂરિયાતો હોય અને પિતાની જાતે જ પૂરી પાડોએ એના જેવું શભાભર્યું બીજું કયું કાર્ય છે?
૩. રાજતંત્ર ચલાવવામાં જેટલા ડહાપણની જરૂર છે તેટલું જ ડહાપણ ઘરસંસાર ચલાવવામાં પણ જરૂરનું છે.
૪. તમારી પાસેના દ્રવ્યને કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તમને જે લાભ થાય છે તેના જે નિશ્ચિત લાભ બીજે કઈ પણું હોતું નથી.
૫. અકારણ નાની નાની રકમ ઉડાવી દેતાં સાવધ રહેજે. એક નાનું સરખું ગાબડું પડવાથી એક મોટું વહાણ પણ ડૂબી જાય છે.
૬. નાણમાં પેઠા બાદ તેમાંથી છૂટવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. જે કરકસરની કળા હાથ આવે તે દીર્ઘદશી માણસ સદણ કરે જ કેમ ?
૭. કરકસરથી ગરીબ માણસ પણ ઘણું સારું બચાવી શકે છે.
૮. જેની સ્થિતિ સુધરતી જતી હોય તે બચેલા પિસા સારા ઠેકાણે વાપરી શકે છે અને એ રીતે પારમાર્થિક કાર્ય કરવાનો રુડે પ્રસંગ હાથ આવી શકે છે.
૯. બે પૈસાનો સારો બચાવ થયો હોય તેમણે પણ પ્રાપ્ત