________________
[ ૨૯૮ ]
શ્રી કપૂરવિજયજી સંગ્રહીત હિતવચને. ૧. “કેટલાક લોકો બેસે છે એછું પણ પિતાનું કામ મૂંગા મૂંગા કયે જાય છે ” તેની અસર લેકહૃદય પર ઘણુ ઊંડી પડે છે એ સત્ય છે.
૨. “કેટલાક લેક કરે છે એ છું પણ ગાઈ બતાવે છે ઘણું વધારે.” તેની ખરાબ અસરથી લેકમાં તેનું માન સચવાતું નથી.
૩. ખાવાની બજારુ લલચાવનારી વસ્તુને મેહ તજવામાં જ સારે છે. ઘરમાં બનાવેલી વસ્તુથી જ સંતોષ માન.
૪. વધારે ખાવાનો આગ્રહ રાખવે તેના કરતાં ખાઈએ તેટલું પચીને લોહી થાય તેવો આગ્રહ રાખે તે વધારે સારે ( હિતકારક) માગે છે.
૫. વધારે બોલવાને આગ્રહ રાખવે તેના કરતાં જેટલું બેલીએ તેટલું પાળવાનો આગ્રહ રાખવો તે વધારે સારો ને સલાહકારક છે.
૬. વધારે વાંચવાનો આગ્રહ રાખવો તેના કરતાં જેટલું વાંચીએ તેટલું જીવનમાં ઉતારવાનો આગ્રહ રાખે તે વધારે સારે છે.
૭. લેભ-તૃષ્ણા એ બૂરી–મેલી વસ્તુ છે. ઉડાઉપણું એ ઉપરથી રૂડી-રૂપાળી છતાં એટલી જ બૂરી વસ્તુ છે. કરકસર બહુ રૂપાળી નથી છતાં અત્યંત નિર્મળ ને જરૂરી વસ્તુ છે. કરકસર પાઈ પાઈને પણ વિચાર કરી શકે છે, તેમ છતાં પ્રસંગ આવ્યે પુષ્કળ રૂપિયા ખરચી નાખતાં વાડું સરખું થડકતું નથી.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૨. ]