________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૩૦૯ ]
૯. આપણા જીવનનું ધ્યેય નક્કી કરી તેવી ચેાગ્યતા મેળવી લેવા પ્રયત્ન કરતા રહેવાથી છેવટે આપણે નિશ્ચિત ધ્યેયસિદ્ધિને મેળવી શકીએ છીએ.
૧૦. મૈત્રી, કરુણા, પ્રમેાદ અને માધ્યસ્થતારૂપી ઉદાર ભાવનાથી સદા ય આપણે આપણા દિલને વાસિત ( તરએળ ) કરી રાખવુ જોઇએ.
૧૧. પરહિત ચિન્તવનરૂપ મૈત્રી, પરદુ:ખને ફેડવાના પ્રયત્ન વાળી કરુણા, પરનું સુખ-સાભાગ્ય ને ગુણગૈારવ જાણીદેખી પ્રમુદ્રિત થવારૂપ પ્રમેાદ યા મુદિતા અને પરના અનિવાય ઢાષા ટળી ન શકે ત્યાં રાગદ્વેષરહિત પરિણતિવાળી મધ્યસ્થતા ધારી રાખવામાં જ શ્રેય છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૩૯. ] સાધ મંત્રી.
ચારિત્રધર્મ મહારાજાને આ બુદ્ધિશાળી પ્રધાન છે. તે એવા જ્ઞાની છે કે આ વિશ્વની અંદર પુરુષાર્થથી સિદ્ધ થઈ શકે તેવી કેાઇ બાબત એવી નથી કે તે ન જાણતા હાય. વિશ્વમાં ભૂતકાળમાં થઇ ગયેલા, વર્તમાનકાળમાં થતાં અને ભવિષ્યકાળમાં થવાવાળા પદાર્થો જે સ્થૂલ હાય કે સૂક્ષ્મ હાય, નજીક હાય કે દૂર રહેલા હોય તે સર્વ પદાર્થને તે જાણવાને સમર્થ છે. વધારે શું કહું ? આ અનંત દ્રવ્યપર્યાયવાળા ચરાચર વિશ્વને તે નિર્મળ નેત્રથી જીવે છે. નીતિના માર્ગમાં તે નિપુણ છે. ચારિત્રધર્મ મહારાજાને તે પરમ હિતસ્વી છે. રાજ્યના સર્વ કાર્ય ની ચિન્તા રાખનારા અને પેાતાના બળ ઉપર