Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 346
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૩૦૭ ] ૧૫. આરોગ્ય, સંપત્તિ અને સૌન્દર્ય સર્વ મિતાહારથી પ્રાપ્ત થઈ શકે છે. સુંદર અને નિરોગી રહેવા માટે પ્રથમ જીભને વશ કરવી જોઈએ. જેણે જીભને વશ કરી છે તે ખરા જિતેન્દ્રિય છે, અન્યથા જિતેન્દ્રિય હોઈ ન શકે. ૧૬. પૂરેપૂરું જમ્યા પછી બીજી મનગમતી ખાવાપીવાની વસ્તુ મળતાં તેમાં લલચાઈને તે ખાઈને દુઃખી થવું નહી. ૧૭. વારંવાર જીભને વશ થયા કરવાથી, ગાકાન્ત બની જઈ બહુ દુઃખી થવું પડે છે. ૧૮. તેથી જ આ અમૂલ્ય માનવદેહાદિ સામગ્રીને સફળ કરવા ઈચ્છનારે સ્વછંદ આચરણવડે તેને દુરુપયેગ નહીં કરતાં પરિમિત ખાનપાનવડે તેને બને તેટલો સદુપયેાગ જ કરતા રહેવું અને નિરોગી પણ મનની પ્રસન્નતાપૂર્વક આત્મહિત સાધી લેવા ભૂલવું નહીં. [ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૩૮. ] મનન કરવા ગ્ય સહૃદય-નિઃસ્વાર્થ પ્રેમી બંધુના અંતર ઉદગાર, ૧. મન અને ઈન્દ્રિયોને તથા કેધાદિ કષાયોને જે વશ કરે છે તે સારાયે જગતને વશ કરી શકે છે. જે તેને વશ થઈ રહે છે તે સારી જિંદગી ગુલામી ભગવે છે. ૨. નાનાં નાનાં વ્યસન પણ લાંબે વખતે મનને જકડી રાખી પરવશ કરી મૂકે છે. પછી જીવને તેમાંથી છટકવું–છૂટવું

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376