________________
લેખ સંગ્રહ : ૨ ?
[ ૩૧૭] વસ્તુને નિરંતર નિકટ રાખશે તો તેનાથી તમારા પ્રાણ
રહેવા મુશ્કેલ થઈ પડશે. પર. જો તમે તમારામાં લુબ્ધતા ને લંપટતાની વૃદ્ધિ થતી
દેખે તો લઘુતા પામવાનો સમય નિકટ આવેલે સમજજે, પરંતુ જો તેનાથી ચેતીને ચાલવા માંડશે તે સારા
ભાગ્યે બચી જવા પામશે. ૫૩. જો તમે તમારા હિતમિત્ર સાથે સ્નેહ રાખવા ચાહતા
હો તો જ્યારે તે કઈ કાર્યપ્રસંગે કોપિત થાય ત્યારે
તમે શાન્ત રહેજો–શાન્તિ જાળવજે. ૫૪. ચંચળ મનને સમજાવી ધીમે ધીમે વશ કરી લેવાય
તો તે ભારે લાભદાયક થવા પામે. ૫૫. અરે ! તે સુખને શું કરવા કે જેને સેવ્યાથી પાછળ
દુ:ખને પર્વત ખડે થઈ જાય. ૫૬. તમારું દુ:ખ મટાડવા સમર્થ હોય તેની જ પાસે જઈ
તમારું દુઃખ નિવેદન કરજે. ૫૭. દરેક વખત પોતાના સાત્ત્વિક ગુણને બહુ સંભાળથી
સાચવી રાખતા રહેજે. ૫૮. નિર્દભ પણે ધર્મસેવન કરનારને ત્રણ ભુવનમાં કાંઈ પણ
વસ્તુ અસાધ્ય નથી. ૧૯શ્રવણમાં જે નિરાદર હોય, તત્વરસને સ્વાદ લેવામાં
જેને અરુચિ રહેતી હોય અને વગર કારણે ધાર્મિક પુરુષ ઉપર જે કોપિત રહેતું હોય તેના તે દુર્ગતિ જવાના ચિત સમજવા.'