________________
[ ૩૧૮ ]
શ્રી કપૂરવિજયજી
૬. ભાગ્યના ઉદય સાથે તમારામાં રહેલા વિદ્યા અને ધૈર્યાદિક ગુણેા પ્રકાશિત થતાં વાર નહીં લાગે.
૬૧. જો શાસ્ત્રના બહુમાન સાથે સદાચરણ સેવતા રહેશે તે સત્ર શ્રેષ્ટ લાભ મેળવી શકશે.
૬૨. શ્રી વીતરાગ દેવ સમી શાન્ત-નિર્વિકારી-મનહુર મુદ્રા કયાંય ઉપલબ્ધ થઇ શકવાની નથી.
૬૩. કડવુ' વચન, કુમતિ, કૃપણુતા ને કુટિલતા દૂર થશે ત્યારે જ ખરેખરી રીતે ધર્મની પ્રાપ્તિ થઇ શકશે.
૬૪. ઉત્તમ પુરુષામાં જિતેન્દ્રિયાક્રિક ગુણા સદા રહે છે. ખરા ખપી જના જ તેના લાભ મેળવી શકે છે.
૬૫, મારે વીર ઉપર પક્ષપાત નથી તેમ કપિલાર્દિકના દર્શને ઉપર દ્વેષ નથી. પરીક્ષા કરતાં જંતુ વચન યુક્તિયુક્ત લાગે તેના સ્વીકાર કરવા જોઇએ. આ પ્રમાણે વિચારતા વીર-આગમના વના મને ઠીક યુક્તિયુક્ત જણાય છે. ૬૬. પ્રભુતા, લાકપ્રિયતા, પરોપકાર અને પંડિતતા એ સઘળાં પુણ્યદયથી સાંપડે છે.
૬૭. સા–સદશી વીતરાગ પ્રભુથી કશું છાનું નથી. ૬૮. કામ—વિષય ઇન્દ્રિયને જીતે-સ્વવશ કરે તેણે સઘળુ જીત્યું" જાણવું. તેને દુ:ખ નથી રહેતું.
૬૯. જે દોષને તદ્દન તજવા ચાહીએ છતાં તે તજી ન શકાય તે તેમાં કર્મના પ્રમળ ઉદય સમજવેા.