________________
[ ૩૨૬ ]
શ્રી કપૂરવિજયજી
પરન્તુ તેના અન્તભંગનું જો ચિન્તન કરાય તેા જરૂર ( તે પરથી ) વૈરાગ્ય જ થાય.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૬ ]
સવ ધમ સમભાવ
૧. અન્ય ધર્મના અનુયાયી તરફ અનુદાર ન અનેા. મૂળભૂત સિદ્ધાંતા તા બધે ઉપદેશવામાં આવ્યા છે. ( ધર્મના મૂળ સિદ્ધાંતા તા બધા ધર્મોમાં વર્ણવાયા છે. )+
૨. કર્મકાંડ એ ધર્મતત્ત્વ નથી, ધમ તેા જીવનનું શેાધન કરવુ એ છે અર્થાત્ ધર્મ જીવનશેાધનમાં છે; માટે જુદી જુદી જાતનાં કર્મકાંડા ( ક્રિયાકાંડા ) હાય ત્યાં પણ તે સ ંભવે છે.
૩. ધર્મને માટે કાઇ ચાક્કસ ક્રિયાકાંડના આગ્રહ રાખવા શ્રેયસ્કર નથી. ધર્મની પ્રતિષ્ઠા કયાં છે એ સમજવુ જોઇએ. એ છે સચિત્તમાં. પછી ક્રિયાલે કેમ ખાધક હાઇ શકે ? ક્રિયાભેદથી ધાર્મિકતામાં વાંધા ન હાય.
૪. અનેક માણસા એવા છે કે દૃષ્ટિભેદથી યા પ્રમાદથી ધર્માંનુ અથવા સામ્પ્રદાયિક નિયમાનું આચરણ કરતા નથી, પણ
+ આ આખા વિષય શાન્તિપૂર્વક વાંચી મનન કરવાથી તેની ખૂબી ( રહસ્ય ) સમજાશે અને પરમતસહિષ્ણુતાનેા માટા લાભ મળશે. દૃષ્ટિ ઉદાર અને વિશાળ થશે. વળી ભાવકરૂણાવડે અનેક જીવાને સત્ય તરફ આકર્ષી શકાશે. ‘ મારું એ જ સારું' એની ખેચતાણ મૂકી ‘સારું' તે મારું' એવી સુંદર બુદ્ધિ જાગૃત કરી તેને ટકાવી રાખતાં સુંદર પરિણામ આવશે.