________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૨૭ ]
એથી કરી એએ, મનુષ્યસુલભ મૈત્રીને અચેાગ્ય ઠરતા નથી. અર્થાત્ મનુષ્યાએ એકબીજા સાથે જે મનુષ્યેાચિત શિષ્ટાચરણ રાખવાનુ છે તેને માટે તેએ અપાત્ર બનતા નથી.
,
૫. જે જેવું કરશે તેવું તે પામશે ’ પરન્તુ માણસે માણુસ સાથેની પેાતાની મનુષ્ય-શિષ્ટતા ન છે।ડવી જોઇએ.
૬. આપણે જે ખીજા સાથે તેના જાતિભેદ યા મતભેદને કારણે મનાભેદ કરીએ તેા કયાંય પણ એ માણસામાં પણ—એ સગા ભાઇએ કે મિત્રામાં પણ ઐકય નહિ થઇ શકે. ( અને મનમાં નકામે ખેદ રહ્યા કરશે. )
૭. મતભેદના કારણે મનેભેદ કરવા એ સાજન્ય ન ગણાય. મતભિન્નતાવાળા સાથે પણ સામનસ્ય રાખવું એ જ વિવેકાચિત આચરણ છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ ૧૩૬ ] ઇશ્વરભક્તિ.
૧. પરમેશ્વર પ્રસન્ન થતાં બધી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જયારે તેની અપ્રસન્ન દશામાં જગત્ અંધકારમય બને છે. ચારીસજીવની ન્યાયે માળવાને આવા ઉપદેશ હિતકર છે.
૨. તમામ ચિન્તાને દૂર કર. તું એ પરમ પ્રભુને એના સ્મરણથી અને સદાચરણથી પ્રસન્ન કરી શકે છે.
૩. અન્ય ઋદ્ધિવાનેાને આરાધવામાં તુ જેમ હુમેશાં તત્પર રહે છે તેમ ઇશ્વરના આરાધનમાં જો તત્પર અને તેા શું બાકી રહે ?
૧ આ ન્યાય સુગુરુ મુખે સમજવા યેાગ્ય છે.