________________
[ ૩૨૨ ]
શ્રી કપૂરવિજયજી બડી બાતકે ભેગ; દ્રાક્ષ પાક જબ ફાગમાં, તબ કાગનક રાગ.” એ સાચું જ છે. ૫. જે બુદ્ધિમાન થઈ પૈસાદારથી દબાય, તેની મિથ્યા સ્તુતિ
કરે તે સરસ્વતીને ખરે પુત્ર નથી. ૬. આપણને ભગવાન મહાવીર કે વિષ્ણુ વિગેરે કઈ પણ પ્રત્યક્ષ નજરે પડતા નથી પણ તેના ગુણ, તેમના ચરિત્ર અને તેમની પ્રતિમાદિકથી તેમની સર્વજ્ઞતાદિકની
ખાત્રી કરી શકાય છે. ૯૭. ગુણો જ પૂજાપાત્ર છે, કેવળ લિંગ (વેષ) કે વય પૂજાપાત્ર
નથીમાટે ગુણને જ વિશેષતયા આદર કરે તે યુક્ત છે. ૯૮. “રાગાદિ દેષ માત્રથી મુક્ત અરિહંત મારા દેવ, સુસાધુ
મારા ગુરુ અને સર્વજ્ઞકથિત તત્ત્વ-રહસ્ય મારે પ્રમાણ છે” એ શુભ-શુદ્ધ ભાવ અંતરમાં પેદા થાય તેનું
નામ સમ્યક્ત્વ. ૯૯. સમ્યકત્વ પામ્યા પછી ઘણે થડો જ કાળ સંસારભ્રમણ
કરવાનું રહે છે, પરિમિત કાળમાં મુક્તિ થાય છે. ૧૦૦. સમકિત અવસ્થામાં કરાતી સક્રિયા જ જીવને મુક્તિ
દેનારી થાય છે, બીજી નહીં. ૧૦૧. અતિચારાદિ દેષ ટાળવાના ખપી જન ધીમેધીમે નિરતિ
ચાર કરણી કરી શકે છે. ૧૦૨. સામાયિક લઈને બેસનાર ભાઈ-બહેનો સ્વજન-પરજનમાં,