Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 360
________________ લેખ સગ્રહ : ૨ ઃ [ ૩૨૧ ] ૮૭. મનુષ્યે સૂઇ રહે છે પણ તેને પુણ્યરૂપી દીપક સૂઈ રહેતા નથી. તે તેા અખડ તેજથી મળ્યા જ કરે છે. ૮૮. માતા—જનની, જન્મભૂમિ, પ્રભાતની મીઠી નિદ્રા, કામળ વચનથી બધાયેલી મિત્રતા અને પ્રિયજન એ પાંચ બહુ મુશ્કેલીથી તજી શકાય છે. ખરા ત્યાગી—વૈરાગી જના તેમાં નિ:સ્પૃહભાવે વર્તે છે. ૮૯. આ સંસારરૂપી નાટકમાં નટની પેઠે આપણે અનેક પ્રકારના વેષ લઇ થાક્યા જ હાઈએ તે હુવે એવા એક વેષ લાવીને ભજવવા જોઇએ કે જેથી મુક્તિરૂપ સ્ત્રીના વલ્લભ થઇએ. ૯૦. જીવ ! તને પ્રાપ્ત થયેલી ઊંચી–નીચી અવસ્થા જોઇ, હર્ષ – શેક કેમ કરે છે? ગાડીના પૈડા તરફ જ્ઞાનાષ્ટિથી જોઈ, વિચારી, મધ્યસ્થતા રાખી, આત્મહિત સંપાદન કરી લે, જેથી ભવેાભવનું દુ:ખ ભાંગે તે સુખ થાય. ૯૧. ગમે ત્યાં જાએ અને ગમે તેટલાં વલખાં મારા પણુ તમે પેદા કરેલું શુભાશુભ કર્મ તમને છેડશે નહી. ૯૨. ક જ્યાંસુધી તેના વિપાક પૂરા દેખાડી રહે ત્યાંસુધી ગાયના વચ્છની જેમ તેના કર્તાને અનુસરે છે. ૯૩. સમાધિના અથીજનાએ આત્મસાધન માટે નિરાકુળ સ્થળ પસંદ કરી લેવું જોઇએ. ૯૪. ભાગ્યહીન જના અવસર આવે છેતે તેના લાભ થઈ શક્તા નથી. કહ્યું છે કે—‹ ભાગ્યહીનકા ના મીલે, ૨૧

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376