________________
[ ૩ર૦ ]
શ્રી કપૂરવિજયજી દોષ સામું ન જોતાં ગુણ ગ્રહણ કરે, હિત ને મિષ્ટ
વચન બેલે, તથા ઉદારતામાં વધારો કરતા રહે. ૭૮. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી તેનાથી જે સુકૃત
સાધી લેવાય તે સાધી લેવા ચકવું ન જોઈએ. ૭૯. ઈન્દ્રનથી આગની જેમ વિષયભેગથી તૃપ્તિ થવાની નથી
એમ સમજી સંતોષવૃત્તિ સેવવી ગ્ય છે. ૮૦. વિષયાસક્ત જીવ પણ નિરાગી જ્ઞાનીનાં હિતવચનથી
ઠેકાણે આવી શકે તે અન્યનું કહેવું જ શું ? ૮૧. જેમ સેનાની પરીક્ષા કષ-છેદ-તાપાદિ ચાર પ્રકારે કરાય
છે તેમ ધર્મના વચને સાંભળવાથી, તેને અનુભવ મેળવવાથી, તેના તપતેજથી અને તેના દયા-ગાંભીર્યાદિક
ગુણોથી તેની ઉત્તમતાની ખાત્રી થાય છે. ૮૨. વિકરાળ કાળથી કઈ બચતું નથી. તેને ખરે ઉપાય
શુદ્ધ ધર્મનું પ્રમાદ રહિત યથાશકિત સેવન કરવું એ છે. ૮૩. ખરા ત્યાગી મુનિજનો ભિક્ષા-ગ્રહણ સમયે પણ શુદ્ધ
નિદષ-પ્રાસુક આહારની જ ગવેષણ કરે છે. ૮૪. ખરા સજજને વિપદા સમયે પણ અનુચિત કાર્ય આરંભતા
નથી. તે વિપદાને કસોટીરૂપ સમજી પસાર કરે છે. ૮૫. અન્યની ભવાંતરની પ્રીતિને જોઈ અદેખાઈથી તેને તોડવા
મિથ્યા પ્રયત્ન કરશે તો તમે હાનિ પામશે. ૮. હસતાં હસતાં પણ કોઈને કઠેર વચને કહીને દુભાવશે
તે તેને હિસાબ દેવો જ પડશે તે ભૂલશે નહિ.