Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 354
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૩૧૫ ] ૩૫. જેમ મન સ્થિર શાન્ત-અવિકારી બને તેમ ખાસ લક્ષ રાખવું ઘટે. ૩૬. નાયક વિનાની સેનાની જેમ પતિ વિનાની સ્ત્રીથી ખૂબ સાવધાન રહેવું. ૩૭. જે એક વિદ્યામાં કેળવણી લઈ નિપુણ થાય છે તેને બીજી વિદ્યામાં નિપુણતા મેળવતાં વાર લાગતી નથી. ૩૮. ક્ષમારૂપી ખનું સદા સાથે રાખશે તો કોધરૂપી દુર્જન કંઈ કરી શકનાર નથી. ૩૯. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું ” એ સાચું પણ તે પ્રમાણે કરવું ઘણું અઘરું કામ સમજજે. ૪૦. “ પારકી આશ સદા નિરાશા ” સમજી જેમ બને તેમ પરસ્પૃહા તજજે. ૪૧. અનિષ્ટ શોકને વધારે વખત સેવશો તે બુદ્ધિ, હિંમત અને ધર્મને ઘણું હાનિ પહોંચશે. કર. મહાપુરુષે કેવળ સંસર્ગષથી વિકાર પામતા નથી. જુઓ! ચંદનના વૃક્ષને ઝેરી સર્પોને સંસર્ગ હોવા છતાં પણ તે ઝેરી થતા નથી–મૂળ સ્વભાવને તજતા કે બદલાવતા નથી. ૪૩. સમુદ્ર સમા ગંભીર સજન પુરુષો ગમે તેવા અનિષ્ટ સંગમાં પણ સજનતા સાચવી રાખે છે. ૪૪. દરેક વખતે પોતાનામાં અનુકંપા ગુણ સાવચેતીથી સાચવી રાખવે.

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376