________________
[ ૩૧૪ ]
શ્રી કપૂરવિજયજી અને ઈન્દ્રિયો અવિકળ–અખંડ–અક્ષણ બની રહી છે ત્યાં
સુધી આત્મહિત પ્રમાદ રહિતપણે સાધી લે. ૨૭. ધર્મનું મૂળ વિનય અને પાપનું મૂળ વ્યસન એ કેટિ
ગ્રંથને સાર છે. ૨૮. અસઝાયના વખતે સ્વાધ્યાય કરવાથી બુદ્ધિની ન્યૂનતા
થવા પામે છે. ર૯ જેમ ધર્મ કરતી વખતે વધારે ધર્મ કરનાર તરફ ખ્યાલ
કરવો ઉચિત છે, તેમ પાપ કરતી વખતે વધારે પાપ
કરનાર તરફ ખ્યાલ કર ઉચિત નથી. ૩૦. જેમાં પાછળથી દુઃખ પેદા થાય તે વાસ્તવિક રીતે સુખ નથી. ૩૧. વૈરીને પણ થતું દુઃખ દેખી દિલમાં રાજી થશે નહીં. ૩૨. જેમ ઉત્તમ-કુશળ વૈદ્યના કહેવા પ્રમાણે વર્તવાથી વ્યાધિને
જલદી અંત આવે છે તેમ સદ્ગુરુનાં એકાંત હિત–વચનને અનુસરવાથી જન્મમરણ, કહો કે સર્વ દુઃખને જલ્દી
અંત આવે છે. ૩૩. અંત:કરણથી સર્વે પ્રાણુ ઉપર અનુકંપા, વિનય–બહુમાનથી
સદ્દગુરુની સેવા અને શુદ્ધ પ્રકારે શીલવ્રતની રક્ષા–એ
આમેન્નતિ સાધનાર મહામંત્ર છે. ૩૪. મન વિષમ થવાથી ધાતુ વિષમ થાય છે અને ધાતુ વિષમ
થવાથી શરીર વિષમ-રોગિષ્ટ થાય છે, માટે નઠારા વિકપિ કરી મનને વિષમ કરશે નહીં.