________________
[૩૧૨ ]
શ્રી કરવિજયજી ૧૦. આ વાતની તો ખાત્રી જ રાખજે કે પુણ્યદય વિના
દુનિયામાં જશ મળતું નથી. ૧૧. જશ-કીર્તિના ખપી થવા કરતાં આત્મહિત ઉત્પન્ન કરવાના
ખપી થવું એ વધારે શ્રેષ્ઠ છે. ૧૨. અરે ! જે કુટુંબાદિને માટે તમે ઘોર પાપ કરવા ઉક્ત
થાઓ છે તે તમને કષ્ટ પડે છોડાવવાનાં નથી, ૧૩. આ એક લઘુ પ્રશ્નનો ઉત્તર આપશો કે ક્યા મનુષ્ય
સંસારમાં સર્વ પ્રકારે સુખ ભોગવ્યું અને દુર્નિવાર્ય કાળથી
કેને વિટમ્બના થઈ નહિં ? ૧૪. જે તમને દુઃખથી કંપારી છૂટતો હોય અને સુખની ઇચ્છા
થતી હોય તે ધર્મરૂપી ક૯પવૃક્ષની સેવન કરો. ૧૫. જે તમે અધ્યાત્મ પણું સંપાદન કરવાને ચાહતા હો તે
પહેલાં સ્તુતિ અને નિંદામાં સમપરિણામ રાખતાં શીખે. ૧૬. નમ્રતા, નયજ્ઞતા, નિર્દભતા અને નિરાગતા એ ઉત્તમ
પુરુષમાં જ હોય છે. ૧૭. ધૃતિ, ધાર્મિકતા અને ધારણ શક્તિ એ ત્રણ મનુષ્યને
શુભ ગતિનું સૂચવન કરાવે છે. ૧૮. જે તમારે વાદ જ કરવો હોય તો ધર્મવાદ જ કરજે,
પરંતુ શુષ્કવાદ અને વિવાદ કરશે નહિં. ૧૯. જેઓએ કામરૂપી મહામāથી વિજય મેળવ્યું તે જ ખરો
મલ્લ છે એમ કહેવામાં ખોટું નથી.