________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧૧ ] છૂટક મહાવાકય–સંગ્રહ ૧. પુરુષમાં શિરોમણિ પુરુષ તે જ કે જે ધર્મનું સારી રીતે
આરાધન કરે, તેમાં પ્રમાદ–ગફલત ન જ કરે. ૨. દરેક ધર્મક્રિયામાં શુભ ભાવનારૂપ અમૃતના બિંદુઓનું
ક્ષેપન કરતા રહેશે, તે જ તમને ક્રિયા યથાર્થ ફળ દેનાર થશે. શુદ્ધ ભાવ વગરની ક્રિયા બોજારૂપ જ જણાશે. ૩. સર્પ જેમ કાંચળી છોડી જવાથી નિર્વિષ થતો નથી તેમ
તમે પણ ઉપર જ વિકાર છોડી કમરૂપ વિષથી નિર્વિષ થવા ચાહશે તો તે થઈ શકશે નહિ. છે. આપણે જેનાથી પ્રથમની મુલાકાતમાં જ અપમાન પામ્યા
હોઈએ તેનાથી ફરી માન પામવું દુર્લભ છે. ૫. જ્યાં સુધી અસ્થિ-મજામાં (હાડની અંદર મજામાં) ધર્મ સ્પર્યો નથી ત્યાં સુધી ધર્મનો સ્વાદ કેવો છે તે
તમે ખરી રીતે જાણી શકવાના નથી. ૬. તમે ગમે તેટલા રૂપાળા હશે તે પણ વિદ્યા વિના સભાનું
ભૂષણ થઈ શકશે નહિં. ૭. મધુર અને કેમળ વચન વૈરીના અંત:કરણને પણ કુમળું
કરી નાખે છે. ૮. અમે ઘણું ચેસી કરી જોયું છે કે જેને અપરાધ કર્યા છતાં
પણ કોપે નહિ એવા પુણ્યપુરુષ દુનિયામાં વિરલ જ હોય છે. ૯. દષ્ટિરાગી થવા કરતાં ગુણાનુરાગી થવું વધારે સારું છે.