Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 352
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૩૧૩ ] ૨૦. હું એ અવસ્થાને બહુ પસંદ કરું છું કે જ્યારે આપણે શૂન્ય અરણ્યમાં–અટવીમાં જઈ પર્યકાસનથી ધ્યાનારૂઢ થયા હોઈએ, જે વખતે આપણા ખોળામાં હરણીઓનાં નાનાં નાનાં બચ્ચાં આવી આવીને નિ:શંકપણે બેસતાં હોય અથવા તો વૃદ્ધ હરિણે આપણને ઝાડનાં ઠુંઠા જેવાં જાણું આપણું શરીર ખાજ કરવાના (ખણવાના) ઉપગમાં લેતા હોય છતાં આપણને જરા પણ અરુચિ આવે નહિં. ૨૧. આ તે કઈ જાતને નેહ કે પર્વતે કરતાં અધિક ભોજન અને સમુદ્રો કરતાં અધિક પાણી, આપણે ભવાંતરથી ખાતા અને પીતા આવ્યા છતાં આપણને તેના પર અરુચિ જ આવતી નથી ? ૨૨. જો તમે તમારી મહત્વતા અખંડિત રાખવા ચાહતા હે તે કઈ પાસે જઈ કઈ પણ વસ્તુની માગણ–યાચના કરશો નહીં. ૨૩. ધર્મક્રિયા અધિકાર (યોગ્યતા) પ્રમાણે કરતાં રહેવાથી પરિણામે તે બહુ સુખદાયક બને છે, તેના પડેલા સંસ્કાર અન્ય જન્મમાં કામ આવે છે. ૨૪. આ જન્મમાં સદ્ગુરુઓએ અમૂલ્ય જ્ઞાન આપી મારા ઉપર પરમ ઉપગાર કર્યો છે, તેનો બદલો વારંવાર તાબેદાર થઈને હું ક્યારે વાળી શકીશ ? ૨૫. જેમ દૂધમાં ઘી, તલમાં તેલ અને કાષ્ઠમાં અગ્નિ સત્તારૂપે ગુપ્ત રહેલાં છે તેમ શરીરમાં પણ આત્મા સત્તારૂપે ગુપ્ત રહેલ છે તે ખાત્રીથી માને. ૨૬. જ્યાં સુધી જરા (ઘડપણ) અને વ્યાધિઓ આવ્યા નથી

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376