________________
[ ૩૧૦ ]
શ્રી કરવિજયજી
શ્રદ્ધા રાખનારા છે. સમ્યગ્દર્શન સેનાપતિને તે બહુ પ્રિય છે. તેને સ્થિર રહેવામાં મદદ કરનારા છે. ખરી વાત એ છે કે જ્ઞાન વિના સમ્યગ્દર્શનમાં દૃઢતા થતી નથી અને ટકતી પણ નથી. આ વિશ્વમાં તેના જેવા જ્ઞાની કાઇ અન્ય પ્રધાન નથી. જ્ઞાનાવરણુ રાજાના તે કટ્ટો દુશ્મન છે. આ પ્રધાનની જ્યાં હાજરી હાય છે ત્યાંથી જ્ઞાનાવરણને મુઠીએ વાળીને નાસી જવું પડે છે. તે ક્ષયાપશમ અને ક્ષાયક એમ બે પ્રકારે તેના નાશ કરે છે અર્થાત્ ક્ષયાપશમ નામની શક્તિવડે જ્ઞાનાવરણના ઘેાડા ભાગને દખાવે છે તથા ઘેાડા ભાગના નાશ કરે છે; અને ક્ષાયક ભાવની શક્તિવડે તે તેને સથા નાશ કરે છે. ક્ષયાપશમભાવનુ જ્ઞાન અને ક્ષાયકભાનુ જ્ઞાન એમ બે પ્રકારના બળ તે પ્રધાન–મંત્રી ધરાવે છે.
• અવગતિ સ્ત્રી ’:–નિ`ળ અંગ, ચળકતા નેત્ર અને સુંદર મુખવાળી આ સદ્બાધ મંત્રીને અવતિ નામની સ્ત્રી છે. અવગતિ એ વસ્તુત્ત્વના ખેાધનું નામ હાવાથી આ સ્ત્રી તે પ્રધાનનું સ્વરૂપ, અતિ, પ્રાણ અને સર્વસ્વ રૂપ છે. આ સ્ત્રી શરીર વિનાની અર્થાત્ અરૂપી છે. જ્ઞાન અરૂપી છે. એટલે અવગતિને શરીર વિનાની કહી છે. વેાના જીવનમાં તે સત્ય વસ્તુના પ્રકાશ રેડે છે. મહામહના વિવિધ સ્વરૂપાથી દરેક જીવને તે જાગૃતિ આપે છે–તેમાં ન ફસાવાને ચેતવે છે.
• સાધના પાંચ મિત્રા ’:–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ( યા સદાગમ ), અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન-એ સધ્ધેાધ મત્રીના પાંચ મિત્રા છે. સદાગમને મુખ્ય મંત્રીપણે સ્થાપન કરેલ છે. બીજા ચાર શક્તિવાળા છે પરંતુ મૂંગા છે. [ જૈ. ધ. પ્ર. પૃ. ૪૯, પૃ. ૧૩૬