Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 342
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૩૦૩ ] બ્રહ્મચર્ય જૈન દષ્ટિએ “બ્રહ્મચર્ય વિચારમાંથી વાનકી દાખલ મનન કરવા ગ્ય કંઈક વ્યાખ્યા જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનપર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાને જ યા આશ્રવનિરોધને જ સમાવેશ નથી થતું, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃત્તિઓના વિકાસનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામ-કોધાદિક દરેક અસવૃત્તિને જીવનમાં ઉભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદુવૃત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મોને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દને જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમનો માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અથોત્ કામસંગ-કામાચાર–અબ્રશ્નને ત્યાગ, મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય લેખાય છે. અધિકારી એવા વિશિષ્ટ સ્ત્રી-પુરુષ –સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય બને એક સરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યા છે. તે માટે ઉમ્મર, દેશ, કાળ વિગેરેનો કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબળ સ્ત્રી અને પુરુષ બન્ને એક સરખી રીતે પ્રગટ કરી શકે છે, એ બાબતમાં જૈન શાસ્ત્ર અને

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376