________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૦૩ ] બ્રહ્મચર્ય જૈન દષ્ટિએ “બ્રહ્મચર્ય વિચારમાંથી વાનકી દાખલ મનન કરવા ગ્ય કંઈક વ્યાખ્યા
જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનપર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાને જ યા આશ્રવનિરોધને જ સમાવેશ નથી થતું, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃત્તિઓના વિકાસનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામ-કોધાદિક દરેક અસવૃત્તિને જીવનમાં ઉભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદુવૃત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મોને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દને જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમનો માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અથોત્ કામસંગ-કામાચાર–અબ્રશ્નને ત્યાગ, મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય લેખાય છે.
અધિકારી એવા વિશિષ્ટ સ્ત્રી-પુરુષ –સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય બને એક સરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યા છે. તે માટે ઉમ્મર, દેશ, કાળ વિગેરેનો કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબળ સ્ત્રી અને પુરુષ બન્ને એક સરખી રીતે પ્રગટ કરી શકે છે, એ બાબતમાં જૈન શાસ્ત્ર અને