________________
[ ૩૦૪ ]
શ્રી કરવિજયજી બોધ શાસ્ત્રને મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે જેમાં જાણીતી છે અને પ્રાત:કાળમાં આબાળવૃદ્ધ દરેક જૈન કેટલીક વિશિષ્ટ પુરુષોનાં નામની સાથે એ મહાસતીઓનાં નામનો પણ પાઠ કરે છે અને તેઓના સ્મરણને પરમ મંગળ માને છે.
બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયે –જેન ધર્મમાં અન્ય તમામ વ્રત-નિયમેની પેઠે બ્રહ્મચર્યનું ધ્યેય (સાધ્ય) પણ માત્ર મોક્ષ છે. જગતની દષ્ટિએ મહત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હોય, પણ જે તેનાથી મેક્ષ સાધવામાં ન આવે તે જેનદષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચર્ય લોકોત્તર (તાત્વિક–વાસ્તવિક) નથી. જેનદષ્ટિ પ્રમાણે મોક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્વ ધરાવે છે. શરીરસ્વાચ્ય, સમાજબળ આદિ ઉદ્દેશો ખરા મેક્ષ સાધક આદર્શ બ્રહ્મચર્ય માંથી સ્વત: સિદ્ધ થઈ જાય છે.
બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગે નક્કી કરવામાં આવ્યા છે. પહેલે કિયામાર્ગ અને બીજે જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ વિરોધી કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેને સ્થલ વિકારવિષને બ્રહ્મચર્યજીવનમાં પ્રવેશવા નથી દેતો અર્થાત્ તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે, પણ તેનાથી કામસંસ્કાર નિર્મૂળ થતો નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્ય સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે અર્થાત તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. કિયામાર્ગથી જાણે ઔપશમિક ભાવે અને જ્ઞાનમાર્ગથી ક્ષાયિક ભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં