________________
[ ૩૦૨ ]
શ્રી કપૂરવિજયજી
૨. સુખ તથા શાંતિની શોધ.
અપકાર ઉપર ઉપકાર કર, અવગુણુ ઉપર ગુણુ કર, ક્રાધીને શાંતિથી વશ કર, કડવુ ખેલનારને મીઠાશથી જીત, વેર લેનાર પ્રત્યે ક્ષમા દાખવ, હિંસા તથા નિંદા કરનાર તરફ દયા બતાવ, દુ:ખ દેનારને પણ ધન્યવાદ આપતાં શીખ, અખંડ સુખ તથા શાંતિની પ્રાપ્તિ માટે સદા આ સદ્ગુણે ધારણ કર !
૩. પ્રેમ, પ્રેમ, શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ !
તમારાથી વિરેાધી થયેલા સંબંધીને અનુકૂળ કરવા ઇચ્છા છે ? હાય તા તેને માટે એક જ સરલમાં સરલ ઇલાજ છે, અને તે એ જ કે તમે તેના ઉપર પ્રેમના પ્રવાહ વહેવરાવા. ભલે તે તમારા દ્વેષ કરતા હાય પર ંતુ તમે તે પ્રેમ જ કરો. ( હૃદયથી તેનુ' ભલુ જ ચાહા ) પ્રેમનું સામર્થ્ય એટલુ બધુ અપરિમિત છે કે તે ધારે તે કરી શકે છે.
૪. પ્રાયશ્ચિત્ત.
જાણતાં કે અજાણતાં પણ આપણાથી થયેલ પાપમય કૃત્યના સાચા દિલથી અને શુદ્ધ ભાવથી પસ્તાવા કરવા એ જ પાપનું પ્રાયશ્ચિત્ત છે. ( તે પાપમય કૃત્ય ફરી ન જ કરવુ જોઇએ. ) આપણા સુખ કે આનંદને ખાતર બીજાને જરાપણ દુ:ખ આપવું કે લાગણી દુખવવી તે મેટામાં મેટું પાપ છે. આપણી અંશમાત્ર સેવા કે ભાગથી ખીજાને સુખ કે આનંદ મળત ડાય તે તેથી વધારે સુખ કે આનંદ દુનિયામાં બીજા કાઇ નથી. [ જૈ. . પ્ર. પુ. ૪૯, પૃ. ૧૬ ]