________________
[ ૨૯૪ ]
શી કપૂરવિજયજી પૈસા વિના પણ શ્રીમંત થઈ શકાય છે. ૧. “નિસ્પૃશ્ય zi કાન્ત”—નિરપૃહીને કેઈની પરવા હોતી નથી. આખું જગત તેને મન તૃણ સમાન છે.
૨. સહૃદયતા, આત્મિક ભાવ, આશા, આનંદ અને પ્રેમ એ જ સાચું દ્રવ્ય છે. અંતરને ઉદાર ભાવ એ જ ખરી સંપત્તિ છે.
. જે માણસ થોડામાં થોડી સંપત્તિથી સંતુષ્ટ થાય છે તે સૌથી વિશેષ શ્રીમંત છે, કારણ કે સંતોષ એ સર્વશ્રેષ્ઠ કુદરતી દ્રવ્ય છે.
. ઘણા માણસો પૈસા વિના શ્રીમંતાઈ ભગવે છે. હજાર માણસો પિતાના ગજવામાં પૈસા વિના અને ગજવાવાળાની મદદ વિના શ્રીમંત હોય છે.
૫. સશક્ત શરીર, સારી પાચનશક્તિ, સારું અંતઃકરણ અને આરોગ્ય ધરાવનાર માણસ મોટામાં મેટે શ્રીમંત છે.
૬. સશક્ત શરીર એ પૈસા કરતાં મોટી સંપત્તિ છે અને નિવિષયી આત્મસુખ એ બીજા સર્વ વિષયજન્ય આનંદ કરતાં માટે આનંદ છે.
૭. આપણી પાસે જે હોય તેથી સંતુષ્ટ રહેવું એ મોટામાં મેટી અને સૌથી વિશેષ સુરક્ષિત સંપત્તિ છે. સંતોષી માણસ ઉમરાવ સમાન છે અને અસંતોષી માણસ ગમે તેટલે સધન હેય પણ ભિખારી સમાન છે!
૮. શરીરનું આરોગ્ય એ ઉત્તમ ધન છે. એ વડે ચિત્તની પ્રસન્નતા રહેવાથી પરભવનું સાધન થઈ શકે છે તેમ જ પરેપકારનાં કાર્ય યથાયોગ્ય થઈ શકે છે.