Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 331
________________ [ ૨૯૨ ] શ્રી કપૂરવિજયજી એક ભલા સમ્રાટે ફરમાવેલી આજ્ઞામાંથી લેવાને બોધ ૧. મારી નિંદા કરનાર કોઈ માણસને શિક્ષા કરવી નહીં; કારણ કે જે તે મજાકમાં કરી હોય તો તેને હસી કાઢવી જોઈએ, જે તે વિધભાવે કરી હોય તો ક્ષમા આપવી જોઈએ અને જે તે સત્ય જ હોય તે તે માટે તે બોલનારનો આભાર માનવે જોઈએ. ૨. બીજાઓ પર ટીકા કરતી વખતે આપણે જેટલી કાળજીથી તેમના દોષ અને એબો પ્રગટ કરતા હોઈએ તેટલી જ કાળજીથી આપણે તેમના સગુણ અને સુંદરતાઓ પણ પ્રકાશિત કરવી જોઈએ. જે પુરુષ અથવા સ્ત્રી બીજાઓની ઊંચામાં ઊંચી કિંમત આંકે છે તે પોતે જ ઉચમાં ઉચ્ચ હોય છે એમ સમજવું. ૩. પારકી નિંદા કરવી નહીં, કરવી તે આપણા જ દુર્ગણોની કરવી જેથી કંઈક છૂટકબારો થવા પામે પરનિંદાથી વિરોધ પેદા થઈ તેમાં વધારે થાય છે અને સ્વપરને કશે તાત્વિક લાભ થવા પામતો નથી. ૪. પારકા દોષમાત્રને ગાયા કરવાથી આપણે જાતે જ કેટલા બધા દોષિત બનતા જઈએ છીએ તેનું નિદાખેરને કશું ભાન હોતું નથી. પરિણામે નિંદકનું હૃદય અત્યન્ત કઠોર બની જાય છે, તેથી જ શાસ્ત્રકાર એવા ર્નિદારને ચેથા ચંડાળની કેટીમાં મૂકે છે. [ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ર૭૯ ]

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376