________________
[ ૨૬૦ ]
શ્રી કપૂરવિજયજી
૭. કૃતજ્ઞ–ઉપગારીના ઉપગારને વિસરી ન જતાં અને ત્યાં સુધી તેને પ્રત્યુપકાર કરવા લક્ષ રાખવું; કૃતન્ની તેા ન જ થવું. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૮ ]
વ્યવહારશુદ્ધિ સાચવવા સુજ્ઞજનાએ રાખવું જોઇતું પૂરતું લક્ષ્ય.
૧. શરીર-શુદ્ધિ, વસ્ર-શુદ્ધિ, મન-શુદ્ધિ, સ્થાન–ભૂમિકાશુદ્ધિ, ઉપગરણ–શુદ્ધિ, દ્રવ્ય-શુદ્ધિ અને વિધિ-શુદ્ધિ એમ સાતે શુદ્ધિ સાચવી શાસ્ત્રાક્ત મર્યાદા મુજબ શુદ્ધ દેવ, ગુરુ ને સઘ-સાધીજનાની સેવા-ભક્તિ સદા ય કરવી કહી છે.
૨. નવીન જિનમંદિર કરાવવા કરતાં જીર્ણોદ્ધારમાં આઠગણું ફળ કહ્યું છે. આખ્ત વચનાને આદર કરી જર્ણોદ્ધાર તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઇએ.
૩. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણુદ્રવ્યની રક્ષા તથા ઉપયાગ કરવાની મર્યાદા દ્રવ્યસિત્તરી પ્રમુખ ગ્રંથાથી કે ગુરુમુખથી બરાબર જાણી લઇ તે સંબધી કઇ પણ ગેરવ્યવસ્થા થતી હાય તે ડહાપણથી દૂર કરવી જોઇએ.
૪. ઉપરાક્ત દ્રવ્યરક્ષા ઉપરાન્ત અત્યારે કઇક પ્રકારના ધર્માદા ફૂડ વિગેરે દ્રવ્યની પણ રક્ષાને માટે તેની યથાયેાગ્ય ઉપયાગ કરવામાં થતી ગેરવ્યવસ્થા દૂર થવાની જરૂર છે.
૫. ઉક્ત દ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ને કેવી રીતે ન કરવી ? તે બાબત પણ બહુ બહુ જાણવા જેવું ને બારીકીથી સમજવા જેવું છે. તે જાણવા-સમજવા અને તેને અનાદર કરવામાં થતી ઉપેક્ષા લાગતાવળગતાઓએ દૂર કરવાની જરૂર છે.