________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૮૩ ]
ઉ—તત્ત્વ પામેલા અને સદા ય સ્વપરહિત કરવા સાવધાન
હાય તે.
પ્ર-ધન કર્યું ?
ઉ-જે ખરી તકે ફળની ઈચ્છા વગર દેવામાં આવે તે, તેમ જ પ્રિય વચન સાથે અપાય તે.
પ્ર૦-મરતાં સુધી શું સાલે ?
ઉ॰-છાનું કરેલું અકાર્ય ( અનાચરણ ).
પ્ર૦-જીવિત સાર્થક કર્યું ? ઉ-પાપરહિત ( નિષ્પાપ-નિષ્કલંક ) આચરણવાળુ હોય તે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૧૫૦.
થાડાંક સૂક્ત વચને
૧. જેનાથી અંતરમાં શાન્તિ-શીતળતા ઉપજે એવા વીતરાગ પરમાત્માની તથા શાંત, દાન્ત, મહુન્ત સાધુજનેાની અને ઉત્તમ બ્રહ્મવ્રતધારક સતાસતીએની પવિત્ર મુખમુદ્રા પ્રસન્ન ચિત્તે નીહાળી પાવન થવું એ નેત્રની સાર્થકતા છે. ૨. ત્રિવિધ પાપતાપને ઉપશમાવે એવા એકાન્ત હિતવચનામૃતનું પ્રેમપૂર્વક પાન કરી પાવન થવું એ પ્રાપ્ત થયેલ કર્યું ને હૃદયની સાકતા છે,
૩. શુદ્ધ દેવ, ગુરુ અને સંઘ-સાધર્મિજનાને વિનય-બહુમાન પૂર્વક સ્તવવા અને તેમની સાથે નિ:સ્વાર્થ પ્રેમ જોડવા એ મન ને વાચા પામ્યાની સાર્થકતા છે.