________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૮૯ ] દેહાદિક જડ વસ્તુરૂપ “હું કે મારું ” નથી એવી સાચી સમજ, મોહને છતી પરાસ્ત કરવા પ્રબળ શસ્ત્ર સમાન નીવડે છે.
જે મહાનુભાવ પૂર્વકૃત કર્મના વિપાકવડે પ્રાપ્ત થતાં સુખદુ:ખમાં લગારે મુંઝાયા વગર સમભાવે રહે છે–રહી શકે છે તે આકાશની પેઠે પાપકર્મથી લેપાતા નથી. તત્વવેત્તા મહાશય સંસારચકમાં ઠેકાણે ઠેકાણે થતું–થઈ રહેલું વિવિધ કર્મજન્ય નાટક કેવળ સાક્ષીભાવે જેતે છતે લગારે ખેદ પામતો નથી. બાકી ખોટા સંકલ્પ-વિકપને સેવા મેહાન્ધ થયેલ મૂઢ આત્મા વારંવાર ચેરાપીના ફેરામાં ફરતો ફરતો દુઃખી દુઃખી થઈ જાય છે.
આત્માનું સહજ સ્વાભાવિક સ્વરૂપ તો શુદ્ધ સ્ફટિક રત્ન જેવું નિર્મળ છે; છતાં સાથે લાગેલા કર્મરૂપ ઉપાધિ સંબંધયોગે જીવ મૂઢ બન્યો છતો તેમાં મુંઝાય છે. મોહ-મમતાને તજવાથી સહજ સ્વાભાવિક આત્મિક સુખનો સાક્ષાત અનુભવ પિતાને થયા છતાં તેના બીનઅધિકારી મૂઢ અજ્ઞાની જીવોની આગળ તે કહી શકતો નથી–વર્ણવવા તેનું મન જ વધતું નથી. આંધળાની આગળ આરસી ધરવા જેવા તે કાર્યથી તેમને કશે લાભ થતો નથી, પરંતુ જેમને હાથકંકણ ને આરીસાની જેમ વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાયું છે તે મહાશયે નિરુપયોગી જડભાવમાં મુંઝાતા જ નથી. પૂર્વે ભારતવર્ષમાં એવા અનેક ઉત્તમ તત્ત્વવેત્તા મહાપુરુષને સુગ મળતો, જેથી તેમના પુણ્યસમાગમને લાભ પામી, આત્માથી જને સુખી થતા. આજકાલ ઉત્તમ તત્ત્વવેત્તા જને બહુ જ વિરલ માલુમ પડે છે, અને તત્વજ્ઞાનાદિક સદગુણોની ખામી દૂર કરવા માટે પ્રયત્ન કરનારા