________________
[ ૨૮૮ ]
શ્રી કરવિજયજી ૨૮. ખરો ત્યાગી તે છે જે છતી ભેગ-સામગ્રીને અનાદર
કરે છે ને પરમાર્થ સાધે છે. ૨૯. ખરો મુનિ તે છે જે નકામી પરપ્રવૃત્તિથી પરામુખ રહી
સ્વપરહિત સદા સાધ્યા કરે છે અને હિતોપદેશના કારણ વિના મૌન સેવે છે. ૩૦. ખરા પાઠક–ઉપાધ્યાય તે છે જે જડ જેવા શિષ્યવર્ગને
પણ સુધારી નવપલ્લવિત કરે છે. ૩૧. ખરા આચાર્ય તે છે જે પંચાચાર પાળવા સદા સાવધાન
રહી શિષ્યવર્ગને તેમાં કુશળ કરે છે. ૩૨. ખરા સિદ્ધ-બુદ્ધ તે છે જે સકળ કર્મબંધનને છેદી, નિરુ
પાપક અનંતગુણસમૃદ્ધિ પામેલા છે. ૩૩. ખરો જૈન તે છે જે મહાદિક સમસ્ત કર્મરિપુઓના નેતા જિનેશ્વર પ્રભુના પવિત્ર માર્ગે જ ચાલે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૯૮]
હું અને મારું ” અથવા “અહંતા ને મમતા
આશ્રયી વિવેક. હું અને મારું” એ મેહનો મહામંત્ર આખી દુનિયાને અંધ બનાવી દેનાર છે અને એ જ મંત્રની પૂર્વે નકાર મૂકવાથી “નહિ હું ને નહિ મારું ” એ રૂપ બનેલ પ્રતિમંત્ર મોહને પણ જય-પરાભવ કરનાર નીવડે છે. અનુભવથી તેની ખાત્રી થઈ શકે છે. શુદ્ધ આત્મદ્રવ્યરૂપ જ “હું” છું અને શુદ્ધ જ્ઞાનગુણ જ “મારું” અક્ષય ધન છે; એ સિવાય બીજે કઈ