________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૮૧ ] શુદ્ધિથી થતા સદ્વિચાર–એમ અનેક રીતે બળ-વીર્યના થતા સતત સદુપયેગથી જ સ્વ સ્વ મનુષ્ય જીવનના વર્ષો, માસો કે દિવસો સફળ લેખી શકાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૭ ]
શુદ્ધ બ્રહ્મચર્ય પાલનથી થતાં અદ્દભુત લાભ
શાસ્ત્રકાર વર્ણવે છે તે વાતને શ્રદ્ધામાત્રથી સંતોષ માની લેવા કરતાં તે ઉપયોગી લાગતા તત્ત્વને આચરણ દ્વારા સ્વજીવનમાં ઉતારવા ઉદ્યમ લેવો જોઈએ. બ્રહ્મચર્યને યથાર્થ પાળવાથી, મન-વચન-કાયાની પવિત્રતા જળવાયાથી આત્મ-શાન્તિ વિગેરે અનેક અદ્ભુત લાભ મળી શકે છે, તેની ખાત્રી–પ્રતીતિ સુજ્ઞ જનોએ સ્વાનુભવથી કરી લેવી જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૭]
પ્રસ્તાવિક સદ્દબોધ. ૧ સી પીયર નર સાસરે, સંજમિયા સહવાસ,
પગ પગ હેય અળખામણાં, જે મંડે થિર વાસ. २ अविदितपरमानंदो, वदति जनो ह्येतदेव रमणीयम् । तिलतैलमेव मिष्टं, येन न दृष्टं घृतं क्वापि ॥ (જેણે કદાપિ થી જોયું કે ખાધું ન હોય તેને તલનું તેલ જ મીઠું લાગે છે; તેમ પરમાનંદ-તત્વનો અજાણ હોય તે જ એમ વદે છે કે આ નજરે દેખાતી વસ્તુ જ રમણિક છે.)