________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭૯ ]
૨૧. દુષ્ટ કાર્ય છાનાં કે છતરાયાં કરનારની અપકીર્તિ પણ તેવી જ રીતે પ્રસરે છે.
૨૨. હુંસની પેઠે સારભૂત આત્મતત્ત્વનુંશાધન કરી સ્વબુદ્ધિની સાર્થકતા કરવી જોઇએ.
૨૩. ક્ષણિક એવા શરીર યાવનાદિકની સાર્થકતા ઉત્તમ પ્રકારના તપ, જપ, વ્રત-નિયમાદિકનું આરાધન-ઉપાસના કરવાવડે કલ્યાણઅથી જનાએ કરી લેવી જોઇએ.
૨૪. આપણને પેાતાને જે ન રુચે તેવી પ્રતિકૂળતા કાઇપણુ જીવને ઉપજાવવી ન જોઇએ.
૨૫. સમાન પ્રત્યે મૈત્રી, દુ:ખી પ્રત્યે કરુણા, સુખી પ્રત્યે પ્રમેાદ, પાપી પ્રત્યે ઉદાસીન ભાવ રાખવા ઘટે છે.
૨૬. સર્વ કાઇને આત્મ સમાન લેખનાર પાપભીરુ શાન્ત દાન્ત મહાત્મા સહેજે ભવસાગર તરી જાય છે.
૨૭. આવા ત્ પુરુષને એળખી એકનિષ્ઠાથી તેમના પવિત્ર માને અનુસરી ચાલનારનુ અવસ્ય શ્રેય થાય છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૨]
જીભને તમે શું સમજો છે ?
‘ જીભમાં અમૃત અને જીભમાં વિષ રહેલુ છે. ’
૧. જેને જીભ વશ ( કબજે ) નથી તેને સર્વત્ર વેર-વિરાધ
વર્તે છે અને જેની જીભમાં અમૃત વસે છે, તેને ત્રણે જગત વશ થઇ રહે છે. એથી જીભને મેાકળી નહીં મૂકતાં કબજે રાખવી ઘટે છે.