________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી ૨. જીભના અગ્રે સરસ્વતી વસે છે, જીભના અગ્રમાં મિત્રે અને બાંધો હાજર રહે છે ( સાચી અને મીઠી જીભનું એ પરિણામ છે.) જીભને મોકળી મૂકવાથી કહો કે કબજે નહીં રાખવાથી રાગદ્વેષનું બંધન થાય છે, પણ તેને સદ્વિવેકથી કબજે રાખવાવડે ઉક્ત બંધનથી મુક્ત થઈ શકાય છે. પરમાર્થ દાવે જીભને સદુપગ કરવાથી પ્રિય, પચ્ય (હિતકર ) એવું સત્ય પરમાર્થ દવે (સર્વથા સ્વાર્થ ત્યાગરૂપે) વદવાથી પરમપદમેક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે છે. ટૂંકમાં કહીએ તો જીભમાં સઘળું રહેલું છે. તેના દુરુપયોગથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને તેને સારી રીતે કેળવી સદુપયોગ કરતા રહેવાથી દુનિયા બધી વશ થઈ જાય છે. આપણે સહુએ તેને દુરુપયોગ નહીં કરતાં કેવળ સદુપયોગ જ કરતાં શીખવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૭] અંતરથી બેધ લેવા જેવું. ૧. મનુષ્યનું જીવન વર્ષોથી નહીં પણ કર્મો( Duties )થી માપવાનું છે.
૨. વર્ષો મહિનાઓથી નહીં પણ વચને [બોલ] ઉપરથી માપવાના છે.
૩ મહિના દિવસોથી નહીં પણ વિચારોથી માપવાના છે. ૪. દિવસ કલાકથી નહીં પણ સામર્થ્યથી માપવાના છે.
સાર–નિસ્વાર્થ પણે (ફળની આશંસા વગર ) કરાતાં કર્મો (કર્તવ્ય), પોપકાર અર્થે દાતા વચન, અંતરની