________________
[ ર૭૬ ]
શ્રી કરવિજયજી ૬. જેમને દેખી વગરકારણે આપણને ખેદ, દ્વેષ કે અભાવ પેિદા થાય તેમની સાથે પૂર્વને વૈરસંબંધ હોવો ઘટે છે. ફક્ત અજ્ઞાની છે તેને મર્મ જાણતા નથી.
૭. અજ્ઞાની જવ તેવા પ્રસંગે દુઃખની પરંપરા વધ્યા કરે એવું આચરણ સેવી વધારે વધારે દુઃખી થાય છે.
૮. જ્ઞાની જને તે પ્રસંગે જ્ઞાનપ્રકાશથી વૈરસંબંધને ખાળવા-મટાડવા પિતાથી બનતું કરે છે.
૯. જ્ઞાની જને પરિણામદશી હેવાથી કૃત્રિમ પ્રેમમાં મુંઝાઈ જતા નથી. તેઓ નિઃસ્વાર્થ પ્રેમ આદરી જન્મ-મરણની ઉપાધિથી છૂટવામાં જ તેની સાર્થકતા લેખે છે. અજ્ઞાની અને ઉપાધિથી છૂટી શકતા નથી.
૧૦. ગુણું જન ગુણને જાણી શકે છે, તેમ નિર્ગુણી જાણી શક્તા નથીવળી સહિષ્ણુતા ન હોવાથી તે સામા ગુણી જનોના ગુણની કદર પણ કરી શકતા નથી.
૧૧. જે પોતે ગુણ હોય છતાં બીજા ગુણ જનેની પૂજાપ્રતિષ્ઠાને જીરવી શકે છે-જોઈને રાજી થાય છે તેમની યશ-- કીર્તિ સર્વત્ર ગાજી રહે છે.
૧૨. સદ્દગુણાનુરાગી થયા વગર મોક્ષનો માર્ગ હાથ લાગતો નથી. ૧૩. ગુણદ્વેષપણાથી કરેલી ધર્મકરણ પણ નિષ્ફળ થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૧]