________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭૫ ] सर्वेऽपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ॥
સર્વ કેઈ સુખી થાઓ ! સર્વ કઈ રોગ-આતંક રહિત થાઓ ! સર્વ કેઈ કલ્યાણ પામે અને પાપાચરણ મ કરો !
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૩૬૬ ]
આત્માથી સજ્જનોને ખાસ ઉપયોગી હિતશિક્ષા.
૧. ચિત્તની ચંચળતા-અસ્થિરતા ને મલિનતા પેદા કરનારા વિક્ષેપ મટે [ શાન થાય ] અને પ્રસન્નતા જાગે તેમજ જળવાઈ રહે તેમ લક્ષ્યપૂર્વક પ્રવર્તવું.
૨. ગુણીજનોમાંથી તે ગુરુ ગ્રહણ કરવા જ, પરંતુ દુષિત દુણીમાંથી પણ હંસની પેઠે ગુણ તારવી લેવાની કળા શીખી લેતાં આવડે તો ઘણે લાભ થઈ શકે.
૩. ઉપગારી ઉપર તો ઉપકાર કરે જ એ કૃતજ્ઞતાની નિશાની લેખાય; પરંતુ અપકારીનું પણ હિત જ ઈચ્છી તેનું ડિત કરવાની તક સાધવી એ સજજનતાનું લક્ષણ છે.
૪. મોરના ઈંડાને ચીતરવું ન જ પડે, તેમ સજ્જનને ગમે તેવા સમવિષમ પ્રસંગે સજજનતા દાખવવાનું કહેવુંશિખવવું ન જ પડે. તે તે તેને સહજ સ્વભાવ જ હોય છે.
૫. જેમને દેખી વગરનિમિત્તે આપણને આનંદ-પ્રમોદ પ્રગટે તેમની સાથે પૂર્વ પ્રેમસંબંધ જ હવે ઘટે છે.