________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૩ ] મનપરિચારણા, વચનપરિચારણા, સ્પર્શ પરિચારણા અને રૂપપરિચારણાને પણ જ્ઞાની પુરુષોએ વિષયમાં ગણાવ્યા છે; માટે જેમ બને તેમ તે ચારથી દૂર રહેવાય તેમ કરવું, જેથી પાંચમા કાયપરિચારણાના વિષયની ભીતિ રહેશે નહીં. જેમ બને તેમ તે વિષય અને વિષયીનો પ્રસંગ કમી કરો. શરીરને મુખ્ય રાજા વીર્ય અને પ્રધાન રુધિર છે. તે બંનેના મેગ્ય રીતિથી સંચય અને રક્ષણ માટે બહુ કાળજી રાખવી. શક્તિનો અને શૌર્યને ખરો આધાર તેના પર રહેલો છે. શરીરનું સિંદર્ય, પ્રતાપ અને તેજ વીર્યના રક્ષણથી બરાબર ટકી રહે છે. અપકવ ઉમ્મરે વિવાહિત ન થવું, પિતાથી મોટી સ્ત્રી સાથે વિવાહ ન કરે પોતાના બળાબળને પુખ્ત વિચાર કરે. ધાનવૃત્તિ રાખવી નહીં. મરદાઈનું લક્ષણ વીર્યને ક્ષય કરવામાં નથી પણ તેનું રક્ષણ કરવામાં છે. સર્વ ધર્મમાં બ્રહ્મચર્યને પ્રધાન માનવામાં આવ્યું છે. મહાન પુરુષની અલૈકિક શક્તિનો વિકાસ પણ બ્રહ્મચર્યના બરાબર પાલનથી થયો છે. હમેશાં સ્ત્રીથી પૃથક્ શય્યા રાખવી. વિકાર ઉત્પન્ન કરનારા પદાર્થને ભેગોપભોગમાં જેમ ઓછા લેવાય તેમ કરવું. વિકારના ઉદય વખતે સ્ત્રી-પુરુષોના શરીરમાં ભરેલી અશુચિને બરાબર ખ્યાલ લાવો. ક્ષણભંગુર સુખાભાસથી ચિરકાળના દુ:ખે ડારી લેવા જેવી ગંભીર ભૂલ વારંવાર ન થાય તેની સંભાળ રાખવી. સંસાર પરિભ્રમણની વૃદ્ધિના હેતુરૂપ મુખ્યત્વે વિષયને જ જ્ઞાનીઓએ માન્ય છે. કષાયની વૃદ્ધિ, જડતા અને મંદતા પણ વીર્યના નાશથી થાય છે. આરોગ્યને માટે પણ વીર્યનું ખાસ રક્ષણ કરવું જરૂરનું છે. સુવર્ણ, રૂપું આદિ ધાતુના રક્ષણ
૧૮