________________
[ ર૬૨ ]
શ્રી કરવિજયજી ગુણગ્રાહી સજન પ્રત્યે ડીએક સમયેચિત સૂચના.
૧. પર્યુષણ પ્રસંગે તેમ જ બીજા અનેક પ્રસંગે આપણામાં નવકારશી પ્રમુખ બીજા કઈક નાના મોટા જમણવારો થાય છે, તે પ્રસંગે આપણા દયા-અહિંસા ધર્મને દાવો કરનારને છાજે તેવી સુઘડતા, સ્વચ્છતા, નિયમિતતા અને નિર્દોષ સાત્વિકતાને સડ અમલ કરી શકીએ એમ થવું જોઈએ તેને બદલે ઘણે
સ્થળે અને ઘણું વખત એથી ઊલટી સ્થિતિ અનુભવાય છે તે દુઃખની વાત છે. ખાનપાનમાં જોઈતી સઘળી શુદ્ધિ સચવાય તે સાથે જયણા–દયાધર્મ સચવાય તેવી પૂરતી દરકાર રહેવા પામે તો વાસ્તવિક લાભ થાય.
૨. હેરને પાણી પીવાના અવેડા જેવું ગંદું (એક બીજાએ બટેલું-એંઠું કરેલું) જળ આપણા જ ઘરે હરહંમેશ પીવાનો પડેલે ઢાળ તજી તેમાં રાખવી જોઇતી શુદ્ધિની દરકાર ન કરાય ત્યાં સુધી આપણામાં મનુષ્યપણું આવ્યું કેમ લેખાય ? વધારે નહીં તો રસોઈ કરવામાં તે જરૂર અબોટ પાણી જ વપરાય તે સારું. એક બીજાનું બેટેલું એઠું પાણી પેટમાં જવાથી કઈક વખત એક બીજાના ઝેરી રોગનો ચેપ લાગવાને પણ સંભવ રહે છે. આરોગ્યની દષ્ટિથી પણ એવા દેષ ટાળવાની જરૂર છે.
૩. જે કોઈ શુદ્ધિ સાચવતા હોય તેમની પ્રશંસા કરી બીજા પણ તેનું અનુકરણ કરે તેમ વર્તવું, તેમની હાંસી તો ન જ કરવી.
૪. આહાર તે ઓડકાર ખાનપાનની શુદ્ધિથી આપણી બુદ્ધિ સુધરતાં આપણું ભાવના સુધરશે અને આપણે સાચે માગે ચઢશું.