________________
[ ૨૭૦ ]
શ્રી કપૂરવિજયજી વ્યવહાર, પ્રમાણિકતા, ટેક, આબરૂ, હિસાબ, વણિજવાણિજ્ય રીતિ, વ્યાપારને માલ, તેલા, માપ, દે-એ વિગેરે બાબતે પહેલેથી છેલ્લે સુધી સારી-ચેખવટભરેલી રાખવી. નકર મુનિમને ખર્ચગ્ય પગાર આપી, તેમની પાસેથી પ્રેમથી કામ લેવું. વિશ્વાસ રાખવા લાયકને જ નોકર રાખવા અને એવા નોકર મુનિ પર પછી અવિશ્વાસ રાખે નહીં. અવિશ્વાસ જેવું જણાયા પછી એક પણ દિવસ રાખવા નહીં. એક ભાવ, નિર્મિત નફે અને વિશ્વાસપાત્ર રીતિ રાખી વ્યાપાર કરવો. સટ્ટ, જુગાર, શરત, કન્યાવિક્રય અને ભડવાપણને ધંધો કદી પણ કરવો નહીં. જિંદગીનું વેચાણ કરવું નહીં. જ્યાં સુધી બને ત્યાં સુધી ગમે તેટલા લાભને ખાતર પણ નોકરી કરવી નહીં. ન ઉપાયે કરવી પડે તો મૂર્ખ, બેકદર, કૃતની, શઠ, અપ્રમાણિક, કધી અને મિથ્યાભિમાની શેઠની નોકરી તો કદી પણ કરવો નહીં અને એવાની આગેવાની નીચે પણ નોકરી કરવી નહીં. જેમ બને તેમ સ્વતંત્ર ધંધો કરે.
શેઠાઈ, અમલદારી અને મોટાઈ મળે તો ખુશામતનાં ખાં” ન બનવું. “ટે દમામ અને દેર ન વાપરો.” મિથ્યાભિમાનમાં અંધ ન બનવું, પરના ભલાને માટે યથાશક્તિ ત્રિકરણ યોગે સહાયક થવું. પિતાની બધી મિલકત વ્યાપારમાં
કવી નહીં, પણ ઓછામાં ઓછા ત્રીજો ભાગ તે પોતાના ઘરમાં સીલીકે અવશ્ય રાખવો. માલ ગીરે મૂકી વ્યાજ ચઢાવવા કરતાં માલને વેચી નાણાં કરવાં એ વધારે સારુ છે. કોઈની થાપણ રાખવી નહીં અને તમારી થાપણ કોઈને ત્યાં મૂકવી નહીં. જરૂર પડે તો પ્રમાણિક ગૃહસ્થને ત્યાં લાયક સાક્ષીઓ