________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧૫ ] આદર્શ પુરુષના પવિત્ર ચરિત્રનું બની શકે તેટલું અનુકરણ કરવું કે જેથી આપણું જીવન પણ સાર્થક થઈ શકે.
પવિત્ર આદર્શ પુરુષના હૃદયમાં એવી જ ભાવના હોય છે કે “સહુ કોઈ સુખી થાઓ ! સહુ કોઈ રોગ-પીડા રહિત થાઓ ! સહુ કોઈ કલ્યાણને પામે ! સહુ કઈ પાપચરણથી દૂર રહો !” એવા મહાન પુરુષોના મનમાં “આ મારું અને આ પરાયું ” એવો ભેદભાવ હોતો નથી. તેમના ઉદાર દિલમાં તો આખી દુનિયા કુટુંબ રૂપ મનાય છે. તેઓ સદા ય છે છે કે “આખી આલમનું ભલું થાઓ ! આખી દુનિયામાં સુખશાન્તિ પ્રસરે ! સહુ કોઈ જ પરનું હિત–પરોપકાર કરવા તત્પર બનો ! અહિતકારક પાપ-દોષ માત્ર દૂર થાઓ ! અને સર્વત્ર સહુ કોઈ સુખી થાઓ !” સહુ સાથે આવી ઉદાર મૈત્રીભાવ ઉપરાંત સગુણુના ગુણ નીહાળી તેમને અનુમોદન અને પુષ્ટિ આપવારૂપ પ્રમેદભાવ અને અપગુણીને કે દુ:ખીને દુ:ખી દેખી તેમને યોગ્ય સહાય કરવારૂપ કરુણાભાવ તથા તદ્દન કઠોર અને સુધારી ન શકાય એવા નિર્ગુણ કે દુષ્ટ જીવે તરફ પણ રાગદ્વેષ વગરની તટસ્થતા રાખવા તેઓ ઉપદેશે છે.
૩. લક્ષ્મી વિષે.
લક્ષ્મી પ્રભાવ વર્ણન. હરિત રતિ રંગે, જે રમે રાત સારી, શિવ તનય કુમારે, બ્રહ્મપુત્રી કુમારી; હિત કરી દગ લીલા, જેહને લચ્છી જોવે, સકળ સુખ લહે સે, સેઇ વિખ્યાત હોવે.