________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧રપ ] ૭. રાજસેવા
રાજસેવા વર્ણન-અધિકાર. સજનશું હિત કીજે, દુજના શખ દીજે, જગ જનને વશ કીજે, ચિત્ત વાંછા વરીજે; નિજ ગુણ પ્રગટીજે, વિશ્વના કાર્ય કીજે, પ્રભુ સમ વિચારીજે, જો પ્રભુ સેવ કીજે. ૧૩ ભગતિ કરી વડાની, સેવ કીજે જિ કાંઈ અધિક ફળ ન આપે, કર્મથી તે તિ કાંઈ જળધિ તરીય લંકા, સીત સંદેશ લાવે, હનુમંત કરમે તે, રામ કોટ પાવે. ૧૪ જે તથા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરીને કોઈ સમર્થ રાજા-મહારાજા કે સ્વામીની સેવા કરી તેની પ્રસન્નતા મેળવી શકાય તે પિતાની બુદ્ધિ-શક્તિથી પોતે પણ પોતાના સ્વામીની જેમ સ્વતંત્રપણે ધાર્યા કામ કરી શકે. તે ધારે તો અનેક સજજનોનું હિત કરી શકે છે, દુર્જનોને દંડ-શિક્ષા આપી શકે છે, સહુને નિજ વશ વર્તાવી શકે છે અને મનોવાંછના પૂરી શકે છે. પોતાની શક્તિ ખીલવી શકે છે, તથા કંઈક પરોપકારના કામ કરી શકે છે. ગમે તેટલા આદરથી, ગમે એવા સમર્થની સેવા કરવામાં આવે તો પણ પોતાના નશીબમાં હોય એથી અધિક કશું તે આપી શકે નહિ અને પોતે મેળવી શકે નહિ. જુઓ ! હનુમાનજી સમુદ્ર તરીને લંકામાં જઈ સીતા સતીને સંદેશો લઈ રામચંદ્રજી પાસે આવ્યા ત્યારે તે બક્ષીસ ( ઈનામ) તરીકે રામચંદ્રજી પાસેથી સ્નાન કરતી